Proud of Gujarat
INDIAFeaturedGujarat

અંકલેશ્વર શહેર-તાલુકા ઇદે મિલાદુન્નબી કમિટીનું પ્રાંત અધિકારીને આવેદન.

Share

ગુજરાતમાં હાલ કોરોનાનું સંક્રમણ લગભગ કાબુમાં છે તેમજ દરેક ધર્મના તહેવારોને સરકારની ગાઇડલાઇન મુજબ પરવાનગી અપાય રહી છે, આવનાર તારીખ 19 મી ઓક્ટોબરના રોજ ઇદે મિલાદુન્નબીનો તહેવાર આવતો હોવાથી અંકલેશ્વર શહેર તાલુકા ઇદે મિલાદુન્નબી કમિટી દ્વારા અંકલેશ્વર મામલતદાર કચેરી ખાતે પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપી ઇદે મિલાદુન્નબીના તહેવારની ગાઇડલાઇનના પાલન સાથે ઉજવણી કરવા માંગ કરાઈ હતી.

જે પ્રસંગે કમિટીના બખ્તિયાર પટેલ, ગ્યાસુદ્દીન સૈયેદ શહેર કાજી જંબુસર, વસીમ ફડવાલા, ફારૂકભાઈ શેખ પેટ્રોલિયમ વાળા, મોહમ્મદ અલી શેખ, ફારૂકભાઈ શેખ, નજમુદ્દીન ભોલા, બાબા ભાઈ શાકભાજીવાળા, મુસ્તાકભાઈ હુડવાળા, ગ્યાસુદ્દીન શેખ, હનીફ ભરૂચી, પપ્પુ વેલ્ડર, સાદિક શેખ વગેરે આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement

Share

Related posts

હાંસોટ તાલુકા આરોગ્ય વિભાગે તાલુકા હેલ્થ સુપરવાઇઝર ગિરીશ ડી. પટેલને ભાવભીની વિદાય આપી

ProudOfGujarat

ભરૂચના ગોલવાડ મસ્જિદના ધાબા ઉપર અને શ્રવણ ચોકડી પાસે આતશબાજીને પગલે ખેતરમાં તણખા પડતા આગની બે ઘટનાઓ સામે આવી હતી.

ProudOfGujarat

દેશ ના પી.એમ અદાણી અંબાણી ના ચોકીદાર છે-સિદ્ધૂ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!