Proud of Gujarat
FeaturedGujaratINDIA

કુળદેવીની આરાધના : રાજપીપળામાં અનોખી તલવાર આરતી યોજાઇ

Share

તલવારએ રાજપૂતોનું શસ્ત્ર છે. રાજપૂતોમાં તલવારબાજીની કળા દિન પ્રતિદિન વિસરાતી જાય છે. કુળદેવીની આરાધના પણ થાય, તલવારબાજીની કળા જીવંત રહે અને શસ્ત્ર વિષે આજની પેઢી માહિતગાર થાય તે મુખ્ય ઉદ્દેશ્યથી રાજપૂત સમાજના યુવાનો વર્ષ 2014થી રાજપીપળામાં હરિસિદ્ધિ માતાજીના મંદિરે તલવાર આરતી કરે જ છે. રાજપીપળામાં રાજપૂતોએ વેર વાળવા નહિ પણ પોતાની કુળદેવીમાં હરિસિદ્ધિ માતાજીની અનોખી આરતી રૂપી આરાધના કરવા આસો સુદ છઠની નવરાત્રીએ તલવાર ઉઠાવી દિલધડક કરતબ સાથે હરિસિદ્ધિ માતાજીના મંદિરે અદભુત તલવાર આરતી કરી હતી. ત્યારે ત્યાં હાજર ભક્તો પણ આ તલવાર મહાઆરતી મંત્રમુગ્ધ થઈ ગયા હતા.

આ વર્ષે સતત આઠમા વર્ષે નર્મદા,ભરૂચ, વડોદરા સુરત જિલ્લાના 10 થી 40 વર્ષ સુધીના સફેદ વસ્ત્ર અને કેશરી સાફામાં સજ્જ 100 થી વધુ રાજપૂત યુવકોએ સતત 1 કલાક 30 મિનિટ સુધી લાગલગાટ ઢોલ નગારાના તાલે રિધમમાં તલવારના દિલધડક કરતબોથી મહાઆરતી કરતા હાજર હજારો ભક્તો દંગ રહી ગયા હતા.

Advertisement

Share

Related posts

વડોદરા : કરજણ પબ્લિક સ્કૂલનાં વાર્ષિકોત્સવની રંગેચંગે ઉજવણી કરાઇ.

ProudOfGujarat

જે.એસ.એસ ભરૂચ દ્વારા સ્વચ્છતા મેરેથોન રેલી યોજાઇ…

ProudOfGujarat

હવેથી પ્રવાસીઓ જૂનાગઢના ગીરજંગલમાં પણ 16 ઓકટોબરથી સિંહ દર્શન કરી શકશે..

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!