Proud of Gujarat
FeaturedGujaratINDIA

માંગરોળ : ઝંખવાવ ગામે બીમારીથી પીડાતી મહિલાએ પ્રેશરની દવાના બદલે ભૂલથી જુ મારવાની દવા પી લેતા મોત નીપજ્યું.

Share

માંગરોળ તાલુકાના ઝંખવાવ ગામની બીમાર મહિલાએ પ્રેશરની દવાના બદલે ભૂલથી જુ મારવાની દવા પી લેતા મહિલાનું મોત નિપજયું હતું. ઝંખવાવ ગામના મામા ફળિયામાં રહેતી શરીફાબેન ઇશાકભાઇ મુલતાની ઉંમર ૪૮ પ્રેશર અને થાઇરોઇડની બીમારીથી પીડાતી હતી. ગતરોજ આ મહિલા પોતાના ઘરે એકલી હતી ત્યારે પ્રેશરની દવાના બદલે ભૂલથી મહિલાએ માથાના વાળની જુ મારવાની દવા પી લીધી હતી. મહિલાને તાત્કાલિક સારવાર માટે માડવીના તડકેશ્વરની શીફા હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવી હતી પરંતુ સારવાર દરમિયાન મહિલાનું મોત નિપજયું હતું. આ ઘટનાના સંદર્ભમાં મરણ જનારના પુત્ર સિરાજ મુલતાનીએ માંગરોળ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.

વિનોદ મૈસુરિયા : વાંકલ

Advertisement

Share

Related posts

કરજણ તાલુકાના સાંસરોદ ગામની સીમમાંથી યુવકનો મૃતદેહ મળી આવતા ચકચાર

ProudOfGujarat

વડોદરા : સ્વીટી પટેલ હત્યા કેસના આરોપી પીઆઈ અજય દેસાઈ સામે એસીબીમાં ફરિયાદ

ProudOfGujarat

ભરૂચ : તાજેતરમાં નર્મદા નદીમાં આવેલ રેલનાં કારણે થયેલ નુકસાન અંગે ધારાસભ્ય અને મંત્રી ઈશ્વરસિંહ પટેલએ મુખ્યમંત્રીને પત્ર લખી રજૂઆત કરી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!