Proud of Gujarat
FeaturedGujaratINDIA

ગૌચર તેમજ આદિવાસીઓની જમીનો હડપ કરતા ભુમાફિયાઓ સ‍ામે પગલા ભરવા ઝઘડીયાના ધારાસભ્યની માંગ.

Share

ઝઘડિયાના ધારાસભ્ય છોટુભાઇ વસાવાએ ભૂમાફિયાઓ સામે આદિવાસીઓની તેમજ ગૌચરની જમીનો હડપ કરવાના ગંભીર આક્ષપો કરતા ચકચાર મચી જવા પામી છે.

ધારાસભ્યએ એક નિવેદનમાં જણાવ્યું હતુ કે ગુજરાતમાં નવથી દસ લાખ હેકટર જેટલી આદિવાસીઓની જમીન આવેલી છે. જે પૈકી કેટલીક જમીનોને ભૂમાફિયાઓ દ્વારા ગેરકાયદેસર રીતે પચાવી પાડી હોવાનો તેમણે આક્ષેપ કર્યો હતો. હડપ કરેલી જમીનોનો કબજો આદિવાસીઓને ક્યારે અપાવાશે તેવો સવાલ ધારાસભ્ય દ્વારા કરવામાં આવ્યો હતો. વધુમાં તેઓએ જણાવ્યું હતુ કે આદિવાસીઓની જે જમીનો પર ગેરકાયદેસર કબજો થયેલો છે તે તેના મૂળ માલિકોને અપાવવી જોઈએ. જો જમીન પરત અપાવશો તો લોકો તમને મત આપવાના જ છે. સુપ્રીમ કોર્ટનો ચુકાદો ટાંકતા તેઓએ જણાવ્યું હતું કે સુપ્રીમ કોર્ટે ચુકાદો આપ્યો છે કે ગૌચરની જમીનો ગૌવંશ માટે અનામત રાખવી જોઈએ એના પર અન્ય કોઈ બાંધકામ ન કરવું જોઈએ તેમજ કોઈ ધાર્મિક સ્થળ પણ ન બનવું જોઈએ. દેશમાં તેમજ ગુજરાતમાં જમીનો હડપી લેવાનું ષડયંત્ર ચાલી રહ્યું હોવાના ગંભીર આક્ષેપો પણ તેમણે કર્યા હતા . પોલીસ એટ્રોસીટીની ફરિયાદ ન લેતી હોવાના પણ તેમણે આક્ષેપ કર્યા હતા.

Advertisement

ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરુચ


Share

Related posts

નર્મદામાં રોજ મરતા  લોકોનાં મૃત્યુનાં આંકડાનાં સમાચાર લખતા પત્રકારોની કલમ ધ્રુજે છે ! રાજપીપળાની કોવિડ હોસ્પિટલ શું ડેથ સેન્ટર બની ગયું છે..!!?

ProudOfGujarat

ઉમરપાડાના અંબાડી ગામના જંગલમાં દારૂ આપવા અને લેવા આવેલા ત્રણ ઇસમોને પોલીસે ઝડપી પાડયા

ProudOfGujarat

ભરૂચ જિલ્લામાં કોરોના પોઝિટિવ દર્દી વધુ 22 નોંધાતા કુલ આંકડો 1939 થયો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!