Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઝઘડિયાના ચંદેરીયા ખાતે બિરસા મુડાંની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવશે.

Share

ઝઘડિયા તાલુકાના ચંદેરીયા ગામે આગામી ૧૫ મી નવેમ્બરના રોજ બિરસા મુંડાની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવશે. પ્રાપ્ત વિગતો મુજબ ઝઘડિયા તાલુકાના ચંદેરીયા ગામે ઝઘડિયા મતવિસ્તારના ધારાસભ્ય છોટુભાઈ વસાવા દ્વારા ૧૫ મી નવેમ્બરના રોજ બિરસા મુંડાની જન્મજયંતિ પ્રસંગે બિરસા મુંડાની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવશે. ધારાસભ્યના હસ્તે પ્રતિમાનું અનાવરણ કરવાનો કાર્યક્રમ યોજાશે. બિરસા મુંડા સ્ટેચ્યુના અનાવરણનો કાર્યક્રમ ચંદેરીયા વ્હાઈટ હાઉસ ખાતે રાખવામાં આવ્યો છે અને વ્હાઈટ હાઉસના સંકુલમાં સ્ટેચ્યુની સ્થાપના કરવામાં આવશે તેમ ધારાસભ્ય છોટુભાઈ વસાવા દ્વારા જણાવાયું હતું.

ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરુચ

Advertisement

Share

Related posts

ગાંધીજી સતત પ્રવાસ કરતા અેટલે લોકો પત્ર પર સરનામાની જગ્યાએ લખતાં… ગાંધીજી, જ્યાં હોય ત્યાં

ProudOfGujarat

નશામાં ધૂત બનેલા નબીરાઓની કાર ઝાડ સાથે અથડાઇ, દારૂની બોટલો જાહેરમાં ફેંકી: પૂરી ઘટના સીસીટીવી માં કેદ થઇ

ProudOfGujarat

વડોદરા : વાઘોડિયા બેઠક પર મધુ શ્રીવાસ્તવની ભાજપે ટિકીટ કાપી..!!

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!