Proud of Gujarat
FeaturedGujaratINDIA

છોટાઉદેપુરમાં બેવડી ઋતુથી શરદી – ખાંસી – તાવનાં કેસમાં વધારો…

Share

છોટાઉદેપુર પંથકમાં બે દિવસથી વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે જેને કારણે બેવડી ઋતુનો પણ અનુભવ થઈ રહ્યો છે. બપોરે તાપ તથા રાત્રીના તથા વહેલી સવારે કડકડતી ઠંડીનો અનુભવ થાય છે. જેના કારણે હાથપગ સાંધાના દુ:ખાવા શરદી, ખાંસી, તાવ, વાયરલ ફીવર જેવી બીમારીનો પ્રજા સામનો કરી રહી છે. બેવડી ઋતુ ઠંડી – ગરમીના કારણે છોટાઉદેપુર જનરલ હોસ્પિટલમાં વાયરલ ફીવર શરદી, ખાંસી, હાથપગના દુઃખાવા જેવા છેલ્લા 15 જેટલા દિવસોથી 200 થી 250 જેટલી ઓપીડી આવી રહી છે તેમ જનરલ હોસ્પિટલમાં ફરજ બજાવતા ડોક્ટર અનિલભાઈ ધાકરે જણાવ્યું હતું.

ઠંડી અને ગરમી તથા વાદળ છાયા માહોલને કારણે ભારે શરદી અને ખાંસીના અનેક કેસ નોંધાઇ રહ્યા છે. નગરમાં મચ્છરોનો ભારે ઉપદ્રવ જોવા મળી રહ્યો છે. મચ્છરોના ત્રાસથી ડેન્ગ્યુ તથા મેલેરિયા જેવા કેસોમાં વધારો થવાની ભીતિને લઇ તંત્ર દ્વારા જંતુનાશક દવાનો છંટકાવ કરી સમસ્યાનો નિકાલ કરવાની પ્રજાની માંગ છે.

Advertisement

ફૈજાન ખત્રી કલારાણી જિ.છોટાઉદેપુર


Share

Related posts

નડિયાદ : ઓનલાઇન શિષ્યવૃત્તિ કામગીરી મોનીટરીંગ અને માર્ગદર્શન માટે સંકલન મીટીંગ યોજાઈ.

ProudOfGujarat

રાજ્યના મુખ્ય ૨૦૭ જળ પરિયોજનાઓમાં ૯૩.૪૪ ટકા જળસંગ્રહ : સરદાર સરોવર પરિયોજનામાં ૯૯.૭૩ ટકા જળસંગ્રહ

ProudOfGujarat

કરજણના જુના બજાર બ્રિજ પર બે બાઇક વચ્ચે અકસ્માત સર્જાતા એકનું કરૂણ મોત.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!