Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વર નગરપાલિકાને સ્વચ્છ ભારત મિશન અંતર્ગત આપેલ ત્રણ ટેમ્પાનું લોકાર્પણ.

Share

ગુજરાત સરકારના સ્વચ્છ ભારત મિશન અંતર્ગત અંકલેશ્વર વિસ્તારને સ્વચ્છ સુંદર બનાવવા માટે સરકાર દ્વારા નગરપાલિકાને ત્રણ ટેમ્પા આપવામાં આવ્યા છે.

અંકલેશ્વર નગરપાલિકા ખાતે આજે સવારે માં શારદા ભવન ટાઉન હોલ ખાતે ત્રણ ટેમ્પાનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ તકે અંકલેશ્વર નગરપાલિકાના પ્રમુખએ જણાવ્યું હતું કે સ્વચ્છ ભારત મિશન અંતર્ગત વિવિધ જિલ્લાઓ અને નગરપાલિકાઓને સફાઈના સાધનોની ફાળવણી કરવામાં આવે છે જેના ભાગરૂપે અંકલેશ્વર નગરપાલિકાને પણ ટેમ્પાની જરૂરિયાત હોય રૂપિયા ૨૦ લાખના ખર્ચે સરકાર દ્વારા ત્રણ ટેમ્પાની ફાળવણી કરવામાં આવી છે જેનું આજે સવારે વિધિવત લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ સાથે જ વધુમાં જણાવે છે કે સ્વચ્છતા અભિયાન અંતર્ગત નગરપાલિકા દ્વારા સ્વચ્છતાની જાળવણી કરવામાં આવે છે જેમાં લોકો પણ સહભાગી બને અને કચરાનો નિકાલ યોગ્ય જગ્યાએ કરે. આ પ્રસંગે નગરપાલિકાના ઉપપ્રમુખ, કારોબારી અધ્યક્ષ, નગરપાલિકા સભ્યો, નગરપાલિકા પ્રમુખ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

મુકેશ વસાવા : અંકલેશ્વર

Advertisement

Share

Related posts

ભરૂચ તાલુકાનાં મનુબર ગામમાં આવેલા દારૂલ બનાત ખાતે સેવાભાવી લોકો દ્વારા કોવિડ કેર સેન્ટર કાર્યરત કરી કોરોના સંક્રમિતોને નિ:શુલ્ક સારવાર પ્રદાન કરાઇ રહી છે.

ProudOfGujarat

વલણ સ્થિતિ બે શાળાઓમાં શૈખુલ ઇસ્લામ ટ્રસ્ટ દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો

ProudOfGujarat

ગોધરા લાલ બાગ બસ સ્ટેન્ડ ખાતે ગોધરા તાલુકા પોલીસ સ્ટેશનનો કર્મી ૧૫૦૦૦ની લાંચલેતા એ સી બી નાં રંગે હાથે ઝડપાયો,એક ફરાર

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!