Proud of Gujarat
GujaratFeaturedINDIA

ઝઘડીયા ખાતે દશા શ્રીમાળી વણિક પંચ દ્વારા નવચંડી યજ્ઞ યોજાયો.

Share

ભરૂચ જિલ્લાના ઝઘડિયા ખાતે દશા શ્રીમાળી વણિક સમાજ દ્વારા ગતરોજ નવચંડી યજ્ઞ યોજાયો હતો. સમસ્ત જ્ઞાતિ જનોની સુખ સંપતિ અને સમૃદ્ધિમાં વૃદ્ધિ થાય તેવા આશયથી આ નવચંડી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. દશા શ્રીમાળી વણિક પંચની વાડી મહાલક્ષ્મી મંદિર ખાતે આ નવચંડી યજ્ઞ યોજવામાં આવ્યો હતો. આયોજિત કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વણિક સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા. આ નવચંડી યજ્ઞમાં ૧૬ જેટલા યુગલોએ ભાગ લીધો હતો. ઝઘડિયાના વાસુદેવ શાસ્ત્રી દ્વારા મંત્રોચ્ચાર સાથે યજમાનો પાસે યજ્ઞમાં આહુતિ અપાવી હતી. નવચંડી યજ્ઞમાં ભાગ લેવા માટે દશા શ્રીમાળી વણિક સમાજના અમદાવાદ વડોદરા ભરૂચ સુરત વાપી વલસાડ તેમજ મુંબઈ સ્થિત પરિવારજનો ઝઘડિયા ખાતે આવ્યા હતા.

ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ

Advertisement

Share

Related posts

RMPS ઇન્ટરનેશનલ શાળામાં નર્મદા સહોદયા દ્વારા ભરૂચ- અંક્લેશ્વરની શાળાનાં આચાર્ય અને શિક્ષકો માટે હેલ્થ એન્ડ વેલનેસ ઓફ સ્કૂલ ગોઇંગ ચિલ્ડ્રન સેમિનાર યોજાયો.

ProudOfGujarat

વલસાડમાં વરસાદનું આગમન “તંત્ર “ની ખુલી પોલ

ProudOfGujarat

આરોગ્ય મંત્રી ઋષિકેશભાઇ પટેલના હસ્તે અમદાવાદના કાંકરિયા સ્થિત એકા ક્લબ ખાતે આયોજિત ‘ઓપ્ટિક એક્સ્પો – ૨૦૨૩’નું ઉદ્ધાટન કરાયું

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!