Proud of Gujarat
FeaturedGujaratINDIA

સુરતના વરાછામાં ગંદકીનું સામ્રાજ્ય : ભરશિયાળે ચોમાસા જેવો માહોલ.

Share

સુરતના વરાછા વિસ્તારમાં ગટરના પાણી ઉભરાતા ગંદકીનું સામ્રાજ્ય ફેલાયેલું છે. આ મુશ્કેલીનો સામનો કરતા સ્થાનિક રહેવાસીઓ ત્રાહિમામ પોકારી ઉઠયા છે.

સુરતના વરાછામાં મોહન નગરની ચાલમાં ગટરનાં પાણી રસ્તા પર આવી જતાં અહીંના રહેવાસીઓ ત્રાહિમામ પોકારી ઉઠયા છે અનેક વખત સ્થાનિક કોર્પોરેટરોને આ બાબતે રજૂઆત કરવામાં આવી છે તેમ છતાં ગટરોના ગંદા પાણી રોડ ઉપર ઉભરાતા રહે છે આથી લોકોની સમસ્યાનો કોઈ નિકાલ ન થતા આ વિસ્તારના સ્થાનિક રહેવાસીઓએ ગંદકીથી ત્રાહિમામ પોકારી SMC હાય-હાય ના નારા લગાવી પોતાનો વિરોધ પ્રદર્શિત કર્યો હતો. અહીંના સ્થાનિક લોકોએ જણાવ્યું છે કે સુરત મહાનગરને સ્વચ્છતા બાબતે એવોર્ડ મળી ચૂક્યા છે તેમ છતાં અમારી સમસ્યાઓનું નિરાકરણ થતું નથી. અહીં અવારનવાર અમારા વિસ્તારમાં ગંદા પાણી રોડ ઉપર ફેલાઈ જાય છે અને ભરશિયાળે ચોમાસા જેવો માહોલ સર્જાય છે તો SMC ના સત્તાધીશો અમારી આ સમસ્યાનું નિરાકરણ ક્યારે થશે તેવા અનેક સવાલો ઉઠાવ્યા છે???

Advertisement

Share

Related posts

માંગરોળ : ભારતીય વિદ્યા ભવન G.I.P.C.L એકેડમીમાં ૭૫ માં આઝાદીનાં અમૃત મહોત્સવની ઉજવણી કરાઇ.

ProudOfGujarat

આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડ અને કેપિટલ સ્મોલ ફાઇનાન્સ બેંકે કોર્પોરેટ એજન્સી જોડાણ કર્યું

ProudOfGujarat

નડિયાદ : રેલવે યુનિયન દ્વારા ઓપીએસ લાગુ કરવા મૌન રેલીનુ આયોજન કરાયું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!