Proud of Gujarat
FeaturedGujaratINDIA

સુરતના વરાછામાં ગંદકીનું સામ્રાજ્ય : ભરશિયાળે ચોમાસા જેવો માહોલ.

Share

સુરતના વરાછા વિસ્તારમાં ગટરના પાણી ઉભરાતા ગંદકીનું સામ્રાજ્ય ફેલાયેલું છે. આ મુશ્કેલીનો સામનો કરતા સ્થાનિક રહેવાસીઓ ત્રાહિમામ પોકારી ઉઠયા છે.

સુરતના વરાછામાં મોહન નગરની ચાલમાં ગટરનાં પાણી રસ્તા પર આવી જતાં અહીંના રહેવાસીઓ ત્રાહિમામ પોકારી ઉઠયા છે અનેક વખત સ્થાનિક કોર્પોરેટરોને આ બાબતે રજૂઆત કરવામાં આવી છે તેમ છતાં ગટરોના ગંદા પાણી રોડ ઉપર ઉભરાતા રહે છે આથી લોકોની સમસ્યાનો કોઈ નિકાલ ન થતા આ વિસ્તારના સ્થાનિક રહેવાસીઓએ ગંદકીથી ત્રાહિમામ પોકારી SMC હાય-હાય ના નારા લગાવી પોતાનો વિરોધ પ્રદર્શિત કર્યો હતો. અહીંના સ્થાનિક લોકોએ જણાવ્યું છે કે સુરત મહાનગરને સ્વચ્છતા બાબતે એવોર્ડ મળી ચૂક્યા છે તેમ છતાં અમારી સમસ્યાઓનું નિરાકરણ થતું નથી. અહીં અવારનવાર અમારા વિસ્તારમાં ગંદા પાણી રોડ ઉપર ફેલાઈ જાય છે અને ભરશિયાળે ચોમાસા જેવો માહોલ સર્જાય છે તો SMC ના સત્તાધીશો અમારી આ સમસ્યાનું નિરાકરણ ક્યારે થશે તેવા અનેક સવાલો ઉઠાવ્યા છે???

Advertisement

Share

Related posts

ગુજરાત પોલીસમાં જાસૂસી કાંડ મામલો, હાઈકોર્ટેે બંને કોન્સ્ટેબલોની અરજી ફગાવી

ProudOfGujarat

કોઇ પણ આકસ્મીક ઘટના બને તો તુરંત જ પોલીસ સેવા મળી રહે તે માટે રાજયના પોલીસ સ્ટેશનમાં ફાળવેલ પીસીઆર વાનમાં ફરજ પરના બેદરકાર પોલીસ આળસવૃતિ કરશે તો પગલા લેવાશેઃ વિજયભાઇ રૂપાણી દ્વારા પીસીઆર વાનમાં જીપીએસ સીસ્ટમ લગાવવા આદેશ

ProudOfGujarat

ભરૂચ જિલ્લામાં દિન પ્રતિદિન કોરોના વાયરસનાં દર્દીઓમાં મહા વધારો થઈ રહ્યો છે ત્યારે આજે ભરૂચ જિલ્લામાં કુલ 22 જેટલા કેસો નોંધાતા જિલ્લામાં કુલ સંખ્યા 333 ઉપર પહોંચી ગઇ છે.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!