Proud of Gujarat
FeaturedGujaratINDIA

સુરતના વરાછામાં ગંદકીનું સામ્રાજ્ય : ભરશિયાળે ચોમાસા જેવો માહોલ.

Share

સુરતના વરાછા વિસ્તારમાં ગટરના પાણી ઉભરાતા ગંદકીનું સામ્રાજ્ય ફેલાયેલું છે. આ મુશ્કેલીનો સામનો કરતા સ્થાનિક રહેવાસીઓ ત્રાહિમામ પોકારી ઉઠયા છે.

સુરતના વરાછામાં મોહન નગરની ચાલમાં ગટરનાં પાણી રસ્તા પર આવી જતાં અહીંના રહેવાસીઓ ત્રાહિમામ પોકારી ઉઠયા છે અનેક વખત સ્થાનિક કોર્પોરેટરોને આ બાબતે રજૂઆત કરવામાં આવી છે તેમ છતાં ગટરોના ગંદા પાણી રોડ ઉપર ઉભરાતા રહે છે આથી લોકોની સમસ્યાનો કોઈ નિકાલ ન થતા આ વિસ્તારના સ્થાનિક રહેવાસીઓએ ગંદકીથી ત્રાહિમામ પોકારી SMC હાય-હાય ના નારા લગાવી પોતાનો વિરોધ પ્રદર્શિત કર્યો હતો. અહીંના સ્થાનિક લોકોએ જણાવ્યું છે કે સુરત મહાનગરને સ્વચ્છતા બાબતે એવોર્ડ મળી ચૂક્યા છે તેમ છતાં અમારી સમસ્યાઓનું નિરાકરણ થતું નથી. અહીં અવારનવાર અમારા વિસ્તારમાં ગંદા પાણી રોડ ઉપર ફેલાઈ જાય છે અને ભરશિયાળે ચોમાસા જેવો માહોલ સર્જાય છે તો SMC ના સત્તાધીશો અમારી આ સમસ્યાનું નિરાકરણ ક્યારે થશે તેવા અનેક સવાલો ઉઠાવ્યા છે???

Advertisement

Share

Related posts

અમદાવાદનું 155 વર્ષ જૂનું કાલુપુર રેલવે સ્ટેશન બનશે TOP CLASS, 2018ના અંતે થશે તૈયાર….

ProudOfGujarat

પંચમહાલ જિલ્લા સહિત ગોધરા શહેરમાં પ્રતિબંધિત પ્લાસ્ટીકનું વેચાણ છતાંય તંત્ર દ્વારા કાર્યવાહી નહી.

ProudOfGujarat

ભરૂચ : બાયપાસ ચોકડી વિસ્તારમાં નગરપાલિકા દ્વારા લારી, ગલ્લા દૂર કરવામાં આવતા સ્થાનિકોની રોજીરોટી પર અસર પડતા વેપારીઓ મુંજવણમાં મુકાયા, તંત્ર સામે વૈકલ્પિક વ્યવસ્થાની કરી માંગ..!!

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!