Proud of Gujarat
FeaturedGujaratINDIA

કીમ ગામ ખાતે આવેલા એલ.સી.નં.૧૫૮ પર આર.ઓ.બી. બાંધવા માટે કામગીરી શરૂ હોવાથી રૂટ તા.૨૮ મી ફેબ્રુ.૨૦૨૨ સુધી બંધ રહેશે.

Share

સુરત જિલ્લાના સાહોલ કીમ-માંડવી રોડ પરના કિમ ગામ ખાતે આવેલા એલ.સી.નં.૧૫૮(સાયણથી કિમ સ્ટેશન વચ્ચે) પર આર.ઓ.બી. બાંધવા માટે વાહન વ્યવહાર સરળતાથી ચાલે તથા અકસ્માત ન સર્જાય તે માટે અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ વાય.બી.ઝાલા દ્વારા એક હંગામી જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. જે મુજબ સુરત જીલ્લામાં આવેલા કાર્યપાલક ઈજનેર, (મા.મ.) વિભાગ-૨, સુરત હસ્તકના સાહોલ-કીમ-માંડવી રોડના કીમી ૧૦/૪ પર કીમ ગામમાં આવેલા એલ.સી.નં.૧૫૮ (સાયણથી કીમ સ્ટેશન વચ્ચે) પર આર.ઓ.બી. બાંધવાની કામગીરી શરૂ હોવાથી આ રસ્તા પર બંને તરફના વાહનોને તા.૨૮/૦૨/૨૦૨૨ સુધી વાહનોની અવર-જવર પર પ્રતિબંધ ફરમાવ્યો છે.

આ સમય દરમિયાન ડાયવર્ઝન તરીકે આ માર્ગોનો ઉપયોગ કરી શકાશે. જેમાં
૧) ને.હા.નં. ૪૮ થી આંબોલી થઈને કઠોર-વેલંજા-સાયણ-સંધીયેર-ઓલપાડ-માસમા-સારોલી-સુરત રૂટ પર બંને તરફ જઈ શકાશે.
૨) અંકલેશ્વર તથા આજુબાજુથી આવતા વાહનો ને.હા. નં.૪૮ થી કોસંબા ચોકડીથી કોસંબા-ખરચ-પાંજરોલી-ઓભા-સાહોલ-કદરામા-ઓલપાડ-માસમા-સરોલી થઇ સુરત રૂટ પર બંને તરફ જઈ શકશે.

Advertisement

Share

Related posts

નડિયાદમાં બ્રહ્માકુમારીઝ દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની કરાઇ ઉજવણી.

ProudOfGujarat

ગોધરાનો વેપારી ઓરવાડા ગામ પાસે લૂટાયો

ProudOfGujarat

અંકલેશ્વર: રાજપીપળા ચોકડી પરના ઓવરબ્રિજ ઉપર ખાનગી બસ અને ટ્રક વચ્ચે અકસ્માત.એકનું કરુણ મોત. જયારે પાંચ જેટલા મુસાફરો ઈજાગ્રસ્ત…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!