Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભરૂચની રિલીફ ટોકીઝમાં આગ લાગતા અફરાતફરીનું વાતાવરણ : આગ લાગવાનું કારણ અકબંધ..

Share

ભરૂચ નગરના સ્ટેશન રોડ પર આવેલ બંધ પડેલ રિલીફ ટોકીઝમાં આગ લાગતા અફરાતફરીનું વાતાવરણ ફેલાઈ ગયું હતું. જોકે આગ લાગવા અંગેનું કારણ હજી અકબંધ છે. એમ મનાઈ રહ્યું છે કે મળસ્કાના સમયથી કોઈક કારણોસર આગ લાગી હોય અને ધીમે ધીમે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યુ હોય એમ બની શકે હાલ રિલીફ ટોકીઝને અડીને તિબેતીયન ગરમ કપડાં બજાર અને અન્ય હંગામી બજાર આવેલ છે. જોકે સદભાગ્યે આગ ત્યાં સુધી પ્રસરી ન હતી જો આગ આવા હંગામી ગરમ કપડાં અને અન્ય બજારોને લપેટમાં લેતે તો ભીષણ આગ હોનારતની ઘટના સર્જાત પરંતું સદભાગ્યે આગને સમયસર ભરૂચ નગર પાલિકાના ફાયર બ્રિગેડના જવાનોએ કાબુમાં લઈ લઈ લીધી હતી.

Advertisement

Share

Related posts

નર્મદા જિલ્લામાં ૨૪ કરોડથી વધુ રકમની જોગવાઇની મર્યાદામાં ૧૬૪૪ જેટલા કામોને બહાલી

ProudOfGujarat

ખંભાળિયા-જામનગર માર્ગ પર કાર અકસ્માતમાં રાવલ નગરપાલિકાના બે કર્મચારીઓના કરૂણ મૃત્યુ

ProudOfGujarat

ભરૂચ ના પશ્ચિમ વિસ્તાર માં આવેલ સંતોષી નવી વસાહત વિસ્તાર માં ચોમાસા ના માહોલ વચ્ચે ગંદકી અને ભુવા પડતા લોકોમાં પાલિકા તંત્ર સામે આક્રોશ ઉભો થયો હતો…..

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!