Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વર : ઇન્ડસ્ટ્રીયલ એક્સપ્રોના પ્રોગ્રામને રદ કરવાની માંગ સાથે મામલતદારને આવેદનપત્ર પાઠવાયું.

Share

કોરોના મહામારીને ધ્યાન મા લઈ અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ ભરૂચના તારીખ 03/01/2022 ના પરિપત્ર અનુસાર જાહેર સ્થળો પર કોઈ પણ વ્યક્તિ 4 થી વધુ નહિ ભેગા કરવા અને સભા સરઘસ જેવા કાર્યક્રમો પર તારીખ ૧૮ જાન્યુઆરી ૨૦૨૨ સુધી પ્રતિબંધ રાખવામાં આવેલ છે તેવો પરિપત્ર મીડિયા હાઉસ દ્વારા જાહેર કરવામાં આવેલ છે તેમ છતાં અંકલેશ્વર GIDC સ્થિત D.A આનંદપુરા કલચરલ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ ખાતે તારીખ ૦૬/૦૧/૨૦૨૨ થી તારીખ ૦૮/૦૧/૨૦૨૨ દરમ્યાન ઇન્ડસ્ટ્રીયલ એક્સપો 2022 અંકલેશ્વરનું આયોજન કરવામાં આવેલ છે જેમાં 250 જેટલા ઇન્ડસ્ટ્રીયલ સ્ટોલ રાખવામાં આવશે અને લગભગ અંદાજીત 10000 જેટલા વ્યક્તિઓ આ કાર્યક્રમમાં ભાગ લે એવું કહેવામાં આવેલ છે. આ કાર્યક્રમની રૂપરેખા ankleshwarExpo ની વેબસાઈટ પર પણ મુકવામાં આવેલ છે.

આ એક્સપોનું આયોજન થશે તો કોરોનાની મહામારીમા અંકલેશ્વર શહેર તેમજ GIDC વિસ્તારમાં કોરોના ઝડપથી ફેલાવવાની શક્યતા હોઈ આ કાર્યક્રમને તાત્કાલિક પરવાનગી રદ કરી જાહેરનામાનો અમલ યોગ્ય રીતે થાય અને અંકલેશ્વર શહેર તેમજ તાલુકાના નાગરિકોના સ્વાસ્થ્યને લઇ નક્કર પગલાં લેવાઈ તેવી માંગણી સાથે આજરોજ અંકલેશ્વર કોંગ્રેસના યુવા પ્રમુખ દ્વારા મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.

Advertisement

Share

Related posts

વિરમગામ રેલવે RPF ના IPF (PI)અને અન્ય કોન્સ્ટેબલ 7000 ની લાંચ લેતા ઝડપાયા

ProudOfGujarat

ભરૂચ : કુવાદર, હિંગલ્લા માર્ગ પર વચ્ચે વૃક્ષ પડતા વાહન વ્યવહારને અસર.

ProudOfGujarat

નર્મદા જીલ્લાનાં ગરૂડેશ્વર તાલુકાનાં આમદલા ગામે 70 વર્ષીય ખેડૂતને નહેર ખાતાનાં અધિકારીઓની અણઆવડત અને આડેધડ કામને પગલે કેનાલ તોડી પાણી વહેતું કરતા ખેડૂતને મોટું નુકસાન થવાની ભીતિ વ્યક્ત કરી છે.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!