Proud of Gujarat
GujaratFeaturedINDIA

હાંસોટ તાલુકાના માંગરોલ ગામના શિક્ષક ફરશુરામ શંકરભાઈ વસાવાને સન્માનિત કરાયા.

Share

ભારતીય દલિત સાહિત્ય અકાદમીનું ૩૭ મું રાષ્ટ્રીય દલિત સાહિત્ય સંમેલન પંચશીલ આશ્રમ ઝદૌડા ગામ બુરાડી બાયપાસ આઉટરરીંગ રોડ દિલ્હીમાં અકાદમીના રાષ્ટ્રીય અધ્યક્ષ સોહનલાલ સુમનાક્ષર, સંઘપ્રિય ગૌતમ શતાપુ તેમજ વિદેશોમાંથી આવેલાં વિદ્વાનો – વિદુષીઓની હાજરીમાં યોજવામાં આવેલ હતો. આ સંમેલનમાં રાજ્યના વિવિધ શહેરોમાંથી આવેલ મહાનુભાવોનો સન્માનિતનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ભરૂચ જિલ્લાના હાંસોટ તાલુકાના માંગરોલ ગામના શિક્ષક શ્રી ફરશુરામ શંકરભાઈ વસાવા જેઓ હાંસોટ તાલુકાના માજી.બી.આર.સી.કૉ-ઓર્ડિનેટર, માજી.સી.આર.સી., માજી.બી.આર.પી., માજી.ગૃપાચાર્ય હાંસોટ અને આચાર્ય તરીકે જંબુસર તાલુકાના ધરમપુરા ખાતે સેવા બજાવી નિવૃત્ત થયાં હતાં અને સામાજીક સેવા બજાવી એક ઉમદા શિક્ષકત્વનું ઉદાહરણ, મિલનસાર સ્વભાવ ધરાવનારા ગુજરાતના શિક્ષકને દિલ્હી ખાતે સદગુરુ કબીર સાહેબ નેશનલ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. વધુમાં ગુજરાત રાજ્યમાં ૬ વ્યક્તિઓની પસંદગી થવા પામી હતી જેમાં હાંસોટ તાલુકાના માંગરોલ ગામના શિક્ષક ફરશુરામ શંકરભાઈ વસાવાનો સમાવેશ થયો હતો.

Advertisement

Share

Related posts

રાજકોટ : ફેંકી દેવાના ભાવ મળતા ખેડૂતોએ સાચે જ શાકભાજી રસ્તા પર ફેંકી દીધી

ProudOfGujarat

ઝાડેશ્વરના એનએચ–48થી મનન આશ્રમ જોડતા માર્ગનું ₹1.30 કરોડના ખર્ચે નવીનીકરણ કરાશે

ProudOfGujarat

ભારતનાં પૂર્વ વડાપ્રધાન સ્વ.ચંદ્રશેખરની જન્મજયંતિ ડેડીયાપાડા ભારત યાત્રા કેન્દ્ર તથા ચીકદા નાલંદા આશ્રમ ખાતે જન્મ જયંતી ઉજવાઈ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!