Proud of Gujarat
GujaratFeaturedINDIA

આકાશી યુદ્ધના એવા ઉત્તરાયણનો પર્વ જામશે ખરું….?

Share

ઉત્તરાયણ પર્વ એટલે કે આકાશી યુદ્વનો પર્વ આ વર્ષે ભરૂચ જિલ્લામાં જામશે કે કેમ તે અંગે વિવિધ અટકળો અને ચર્ચાઓ ચાલી રહી છે. ઉત્તરાયણ પર્વ અગાઉ જ ભરૂચ પથકમાં ચાઈનીઝ દોરાના કારણે ગળું કપાતા એક મહિલાનું મોત નીપજ્યું હતું. તે સાથે અન્ય બે વ્યક્તિઓને ઇજા પહોંચી હતી. આવી પરિસ્થિતિમાં હવે મકરસ્ક્રાંતિના આડે માત્ર ગણતરીના દિવસો બાકી રહ્યા છે તેમ છતાં હજી પતંગ બજારમાં કોરોના મહામારી અગાઉના વર્ષોમાં જે તેજી જણાતી હતી તેવી તેજી આ વર્ષે જણાતી નથી. તેવામાં ભરૂચ જિલ્લામાં કોરોના મહામારીની ત્રીજી વેવ શરૂ થઈ ગઈ છે. આવા સમયે મંદી, મોંઘવારીના કારણે પણ હજી ભરૂચ પથકમાં ઉત્તરાયણ પર્વનુ વાતાવરણ જામ્યું નથી. પતંગોના વેપારીઓના જણાવ્યા મુજબ પતંગ અને માજાના ભાવોમાં પણ વધારો જણાઈ રહ્યો છે. ત્યારે આ વર્ષે પણ મકરસક્રાંતિના પર્વ પર કોરોનાનું ગ્રહણ લાગે તેવી સંભાવના નકારી શકાતી નથી.

Advertisement

Share

Related posts

સુરેન્દ્રનગર-ધ્રાંગધ્રા – અમદાવાદ હાઇવે પર અખિયાણા ગામ પાસે એસ.ટી. બસ અને ખાનગી લકઝરી બસ વચ્ચે અકસ્માતમાં એક વ્યક્તિનું મોત-સાત લોકો ઈજાગ્રસ્ત…

ProudOfGujarat

અંકલેશ્વર : કડકીયા કોલેજમાંથી એમ.કોમ સેમેસ્ટર – 4 નું પેપર લીક થવાનો મામલો, 1200 છાત્રોનાં ભાવિ સામે ખીલવાડમાં પ્રોફેસરને માત્ર ₹ 100 દંડ !!…

ProudOfGujarat

ભરૂચ તાલુકાના તવરા ગામે 40 થી વધુ ટ્રેક્ટરોની બેટરીઓની ચોરી થતાં ખેડૂતોમાં આક્રોશ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!