Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભરૂચ : બે સાયકલિસ્ટની અવનવી સફર, સામાજિક હેતુસર સાયકલ યાત્રા કરી…જાણો વધુ.

Share

ભરૂચના સાયકલીસ્ટ શ્વેતા વ્યાસ તથા અંકલેશ્વરના નિલેશ ચૌહાણ અંકલેશ્વરથી પાવાગઢ સુધી સાયકલ યાત્રા યોજી હતી. જિલ્લાના બંને સાયકલિસ્ટનો મુખ્ય હેતુ પ્રધાનમંત્રી માનનીય નરેન્દ્રભાઈ મોદી સાથે સંકળાયેલો હોય. કોરોનાની ત્રીજી લહેરના આગમનની સાથે જ ફરી એકવાર લોકોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે. ત્યારે પ્રધાનમંત્રીના ત્રણ વાક્યો લઈને બંને સાયકલિસ્ટ પાવાગઢની સાયકલ યાત્રા પર નીકળ્યા હતા.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અપીલ ફરી કોરોના એ માથું ઉચક્યું છે. ત્રીજી લહેર શરૂ થઇ છે. બંને સાયકલીસ્ટ એ રાજ્યની તમામ જનતાને અમારી અપીલ છે. માસ્ક હંમેશા પહેરો, સોશિયલ ડિસ્ટન્સ જાળવો, ભીડભાડવાળા સ્થળ પર ન જાઓના ધ્યેય સાથે અંકલેશ્વરથી પાવાગઢ સાયક્લિંગ કરીને લોકો સંદેશ આપ્યો હતો.

આ સાથે અંકલેશ્વરના નિલેશ ચૌહાણ 2 વર્ષ દરમિયાન 10000 (દશ હજાર) કિમી પુરા થવામાં 130 Km બાકી હોવાથી પાવાગઢની સાયકલિંગનું આયોજન કરી 10 હજાર Km પૂર્ણ કરી શ્વેતા વ્યાસ તથા નિલેશ ચૌહાણે ભરૂચ સ્વામિનારાયણ મંદિર ખાતે નીલકંઠવર્ણીની પ્રતિમાને જળાભિષેક કરી પ.પૂ.શ્રી કોઠારી સ્વામીના આશિર્વાદ પ્રાપ્ત કર્યા હતા. આ પ્રસંગે ભરૂચ તાલુકા પંચાયતના પૂર્વ સભ્ય કૌશિકભાઈ પટેલ તેમજ અન્ય આગેવાનોએ બને સાયકલીસ્ટ નાના ઉમદા સાહસને બિરદાવી તેઓની સાથે જળાભિષેક કર્યો હતો.

Advertisement

Share

Related posts

જંબુસર ખાતે તાલુકા કક્ષાનો કૃષિ મેળો અને મિલેટ્સ પ્રદર્શન યોજાયું

ProudOfGujarat

શ્રી વમળનાથ સેવા ટ્રસ્ટ સંચાલિત શ્રી ઠાકોરભાઈ પટેલ આર્ટસ અને કૉમર્સ કૉલેજ અંકલેશ્વર “સરસ્વતી સન્માન સમારોહ 2023-24” યોજાયો.

ProudOfGujarat

હવામાન વિભાગે આપેલા ઓરેન્જ એલર્ટ વચ્ચે ભરૂચ શહેરમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. ધોધમાર વરસાદ વરસતા રસ્તા ઉપર પાણી જ પાણી નજરે પડ્યું હતું

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!