Proud of Gujarat
FeaturedGujaratINDIA

અમદાવાદમાં ઈકોફ્રેન્ડલી ગણેશજીની મૂર્તીનું સ્થાપન વર્ષો વર્ષ થાય તે માટે AMC નો અનોખો અભિગમ.

Share

અમદાવાદમાં ઈકોફ્રેન્ડલી ગણેશજીની મૂર્તીનું સ્થાપન વર્ષો વર્ષ થાય તે માટે AMC દ્વારા અવારનવાર અવેરનેસ કાર્યક્રમો દર વખતે કરવામાં આવે છે. ત્યારે આ વખતે પણ શહેરોના માર્ગો પર પોસ્ટર્સ જોવા મળી રહ્યા છે અને ઈકોફ્રેન્ડલી મૂર્તિઓના ફાયદાઓ સમજાવવામાં આવી રહ્યા છે. ત્યારે હવે ઈકોફ્રેન્ડલી ગણેશોત્સવ સ્પર્ધાનું આયોજન પણ કરાયું છે. આ સ્પર્ધા અન્વયે કોર્પોરેશન દ્વારા લોકોને પ્રોત્સાહક ઇનામો આપવામાં આવશે.

ગણેશ ચતુર્થી નિમિત્તે અમદાવાદમાં અંદાજિત 4 લાખથી વધુ ઘરો અને પંડાલોમાં ગણેશજીની સ્થાપના કરવામાં આવી છે. આ દરમિયાન કોર્પોરેશન દ્વારા ગણેશ ઉત્સવને ઈકો ફ્રેન્ડલી ગણેશોત્સવ તરીકે ઉજવવા ઈકોફ્રેન્ડલી ગણેશોત્સવ પ્રોત્સાહન સ્પર્ધામાં ભાગ લેનારનું ઓબ્ઝર્વેશન કરી વિજેતા નક્કી કરાશે. જે માટે માર્કીંગ કરવામાં આવશે અને એ મુજબ નિર્ણાયક કમીટી દ્વારા સાત ઝોન પ્રમાણે પ્રથમ નંબરે આવેલ વિજેતાઓને લોકમાન્ય તિળક ટ્રોફી આપવામાં આવશે. એટલું જ નહીં અન્ય પ્રોત્સાહક ઈનામો પણ અમદાવાદીઓને આપવામાં આવશે.

Advertisement

ઈકોફ્રેન્ડલી મૂર્તિનું આ કારણે થવું જોઈએ સ્થાપન

– પીઓપી અને પ્લાસ્ટિકની મૂર્તિઓમાં હાનિકારક કેમિકલથી બનેલા રંગોનો ઉપયોગ કરવામાં આવે છે. આ રંગો સ્વાસ્થ્ય માટે જ નહીં પરંતુ પર્યાવરણ માટે પણ હાનિકારક છે. જ્યારે પી.ઓ.પી.માંથી બનાવેલી મૂર્તિનું વિસર્જન કરવાથી પાણીની ગુણવત્તા બગડે છે.
– મૂર્તિઓના રાસાયણિક રંગોથી પાકને પણ ઘણી અસર થાય છે. દૂષિત પાણીથી ઉગાડવામાં આવતા શાકભાજીની સાથે સાથે હાનિકારક તત્વો પણ ઘર ઘર સુધી પહોંચે છે.
– પી.ઓ.પી.ની મૂર્તિઓની સરખામણીમાં માટીની મૂર્તિઓ પર્યાવરણને નુકસાનથી બચાવે છે.
– ઇકો ફ્રેન્ડલી મૂર્તિઓ પાણીમાં ઝડપથી ઓગળી જાય છે.


Share

Related posts

શિફ્ટ કરાયેલ રાજપીપલાની નવી સિવિલ હોસ્પિટલમાં ડમી દર્દી પ્રકરણનો વિવાદ શું છે ?

ProudOfGujarat

જયપુરની ડયુઆથ્લોનમાં સુરતની બે સંતાનોની માતાએ 2કલાક 3 સેકન્ડમાં મેળવ્યો સિલ્વર મેડલ..

ProudOfGujarat

ભરૂચ-જંબુસર માર્ગ પર રેલ ફ્લાય ઓવરના નિર્માણના કારણે ત્રણ દિવસ માટે ભારે વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!