Proud of Gujarat
FeaturedGujaratINDIA

પીએમ મોદીના માતા હીરાબાના નિધન બાદ મોદી પરિવારએ લોકોને કરી અપીલ

Share

દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા હીરાબાનો પાર્થિવ દેહ પંચમહાભૂતમાં વિલીન થઇ ચુક્યો છે. ગાંધીનગર ખાતે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા છે. અહીં પીએમ મોદી સહીત તેમના ભાઈઓ અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

મોદી પરિવાર દ્વારા અપીલ કરતા કહેવામાં આવ્યું હતું કે, આ કપરા સમયમાં અમે આપની પ્રાર્થના માટે આભારી છીએ, આપ સૌને અમે વિનંતી કરીએ છીએ કે હીરાબાના આત્માના પોતાની યાદોમાં રાખો અને તમામ કામ અને કાર્યક્રમ નિશ્ચિત સમયે પુરા કરો આજ હીરાબેન માટે સાચી શ્રધ્ધાંજલી હશે.

Advertisement

વડાપ્રધાન મોદીની માતા હીરાબાનું 100 વર્ષની વયે નિધન થયું છે. તેમણે અમદાવાદની યુએન મહેતા હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. પીએમ મોદીએ આજે સવારે ટ્વીટ કરીને આ જાણકારી આપી છે. મણે લખ્યું છે કે, “શાનદાર શતાબ્દીનું ઈશ્વરના ચરણોમાં વિરામ…માં મે હંમેશા આ ત્રિમૂર્તિની અનુભૂતિ કરી છે, જેમાં એક તપસ્વી યાત્રા, નિષ્કામ કર્મયાગીનું પ્રતીક અને મૂલ્યો પ્રતિ પ્રતિબદ્ધ જીવન સમાહિત રહ્યું છે. ”

આ અગાઉ હીરાબા બુધવારે બીમાર પડ્યા હતા. જે બાદ તેમને અમદાવાદની યુએન મહેતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. વડાપ્રધાન મોદી માતાને મળવા પણ હોસ્પિટલ પહોંચ્યા હતા.


Share

Related posts

જામનગરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી WHO ગ્લોબલ સેન્ટરના ઉદ્ઘાટન પ્રસંગે ઉપસ્થિત રહ્યા.

ProudOfGujarat

ભરૂચ બાહુબલી ગ્રુપ દ્વારા વિધવા મહિલાઓને અનાજની કીટનું વિતરણ કરવામાં આવ્યું.

ProudOfGujarat

સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે દ્વિ દિવસીય નેશનલ જ્યૂડિશિયલ કોન્ફરન્સનો પ્રારંભ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!