Proud of Gujarat
GujaratFeaturedINDIA

ગુજરાતમાં 33 દિ’ સ્વાઇન ફ્લૂના 842 કેસ, 21ના મોત 55 કેસ નવા નોંધાયા..

Share

 

અમદાવાદ: સ્વાઇન ફ્લૂનાં દર્દીનો આંકડો દિવસેદિવસે વધતો જઇ રહ્યાં છે. બુધવારે અમદાવાદમાં 13 સહિત રાજ્યનાં વિવિધ શહેરોનાં કોર્પોરેશન વિસ્તારોમાં મળીને કુલ 55 નવા કેસ નોંધાયા છે. આરોગ્ય વિભાગનાં આંકડાઓ મુજબ, 1 સપ્ટેમ્બરથી આજદિન સુધી રાજ્યમાં સ્વાઇન ફ્લૂનાં કુલ 842 કેસ નોંધાયા છે, જેમાં 346 દર્દી સારવાર બાદ સ્વસ્થ થયાં છે અને 21 લોકોનાં સ્વાઇન ફ્લૂથી મોત થયાં છે.

Advertisement

1 સપ્ટેમ્બરથી 3 ઓક્ટોબર સુધી રાજ્યમાં સૌથી વધુ અમદાવાદ 361 કેસ નોંધાયા

અમદાવાદ સહિત રાજ્યભરમાં નોંધાયેલાં સ્વાઇન ફ્લૂનાં 55 નવાં કેસમાં સૌથી વધુ 13 કેસ અમદાવાદમાં નોંધાયા છે. ત્યારબાદ સાબરકાંઠા-6, ભાવનગર-6, સુરત- 5, વડોદરા- 4, જૂનાગઢ- 3, ગાંધીનગર-2, રાજકોટ-2, અાણંદ-2 અને જામનગર- 2 જ્યારે રાજકોટ-1, અરવલ્લી-1, બનાસકાંઠા-1, અમરલી-1, જામનગર-1, સુરેન્દ્રનગર-1, પંચમહાલ-1, ભરુચ-1, નવસારી-1 અને પોરબંદરમાં 1 કેસ નોંધાયો છે. રાજ્યમાં નોંધાયેલા કુલ 842 કેસમાંથી 21નાં મોત થયાં છે.

1 સપ્ટેમ્બરથી 3 ઓક્ટોબર સુધી રાજ્યમાં સૌથી વધુ અમદાવાદ 361 કેસ નોંધાયા છે અને 11 દર્દીનાં મોત થયાં છે. જ્યારે મહેસાણા- 46 કેસ 1 મોત, રાજકોટ- 16 કેસ 1 મોત, અરવલ્લી- 12 કેસ 2 મોત, પાટણ- 12 કેસ 1 મોત, બનાસકાંઠા- 10 કેસ 1 મોત, સુરત- 10 કેસ 1 મોત તેમજ અન્ય જિલ્લા અન્ય કોર્પોરેશનમાં મળીને કુલ 88 કેસ નોંધાયા છે, જેમાંથી 3 લોકોનાં મોત સાથે સ્વાઈન ફ્લૂનો કુલ મૃત્યુઆંક 21 થયો છે…સૌજન્ય D.B


Share

Related posts

ઝઘડીયા તાલુકાનાં અણધરા ગામે થયેલ વૃદ્ધની હત્યાનાં આરોપીને પોલીસે ઝડપી લીધો.

ProudOfGujarat

ભરૂચ ના ધોળીકુઇ બજાર માં ગટર ખોદકામની કામગીરી દરમ્યાન અંડર ગ્રાઉન્ડ ગેસ લાઈનમાં ભંગાણ સર્જાતા દોડધામ મચી હતી.

ProudOfGujarat

અનામત મુદ્દે હાર્દિક પટેલ ફરી એકવાર આક્રમક મૂળ માં આગામી ૨૫ ઓગસ્ટ ના રોજ થી બેસશે ઉપવાસ પર….

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!