Proud of Gujarat
FeaturedGujarat

અંકલેશ્વર- વિકાસના કામ શરૂ થતા પહેલા જ હજારોની સંખ્યામાં વૃક્ષો કાપી નાખવામાં આવ્યા….

Share

વિનોદભાઇ પટેલ

હાલ ગુજરાત સરકાર દ્વારા રોડ રસ્તાનું કામ ચાલી રહ્યું છે ત્યારે અંકલેશ્વરના ઓએનજીસી થી લઈને ગુમાનદેવ સુધીના તમામ વૃક્ષો વિકાસના નામ પર કાપી નાખવામાં આવ્યા છે પરંતુ હજુ પણ એ રોડ રસ્તાનું કામ ચાલુ કરવામાં આવ્યું નથી.એકતરફ સરકાર વૃક્ષ વાવો પર્યાવરણ બચાવો ની વાતો કરી રહી છે ત્યારે બીજી તરફ પોતેજ વિકાસના નામ પર સરકાર હજારોની સંખ્યામાં વૃક્ષો કાપી રહી છે. રોડ રસ્તાને મજબુત કરવું એ સરકારનો ખૂબ સારો વિચાર છે પરંતુ સાથે-સાથે હજારોની સંખ્યામાં વૃક્ષો કાપી પર્યાવરણને નુકસાન પહોંચાડી પર્યાવરણનો સંપૂર્ણ રીતે સરકાર નાશ કરી રહી છે.એક વૃક્ષ ને મોટું કરવા માટે કેટલા વર્ષો વીતી જાય છે અને વિકાસના નામ પર એક જ દિવસમાં એ વૃક્ષને કાપી નાખવામાં આવે છે.જ્યારે કેટલાક રાજ્યોમાં વૃક્ષોને કાપ્યા વગર એક જગ્યાએથી બીજી જગ્યાએ પણ ખસેડી શકે તેવા મશીનો ઉપલબ્ધ છે.ત્યારે ગુજરાત સરકાર આવા મશીનોનો ક્યારે ઉપયોગ કરશે અને વિકાસની સાથે-સાથે પર્યાવરણની પણ ક્યારે સુરક્ષા કરશે તે તો હવે આવનારો સમય જ બતાવશે.

Advertisement


Share

Related posts

ભરૂચમાં જિલ્લા શિક્ષણાધિકારી કચેરી દ્વારા RUN FOR ENVIRONMENT AND CLIMATE રેલી યોજાઇ.

ProudOfGujarat

અંકલેશ્વરના ટોલનાકા પાસે શંકાસ્પદ ભંગારના જથ્થા સાથે ચાર ઇસમોને ઝડપી પાડતી એલ.સી.બી

ProudOfGujarat

ગોધરા : ખાડી ફળીયા વિસ્તારમાં જયાં રસ્તો બંધ કરવો જોઇએ તેના બદલે અન્ય રસ્તો બંધ કરાતા ગણગણાટ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!