Proud of Gujarat
FeaturedGujarat

અંકલેશ્વર- વિકાસના કામ શરૂ થતા પહેલા જ હજારોની સંખ્યામાં વૃક્ષો કાપી નાખવામાં આવ્યા….

Share

વિનોદભાઇ પટેલ

હાલ ગુજરાત સરકાર દ્વારા રોડ રસ્તાનું કામ ચાલી રહ્યું છે ત્યારે અંકલેશ્વરના ઓએનજીસી થી લઈને ગુમાનદેવ સુધીના તમામ વૃક્ષો વિકાસના નામ પર કાપી નાખવામાં આવ્યા છે પરંતુ હજુ પણ એ રોડ રસ્તાનું કામ ચાલુ કરવામાં આવ્યું નથી.એકતરફ સરકાર વૃક્ષ વાવો પર્યાવરણ બચાવો ની વાતો કરી રહી છે ત્યારે બીજી તરફ પોતેજ વિકાસના નામ પર સરકાર હજારોની સંખ્યામાં વૃક્ષો કાપી રહી છે. રોડ રસ્તાને મજબુત કરવું એ સરકારનો ખૂબ સારો વિચાર છે પરંતુ સાથે-સાથે હજારોની સંખ્યામાં વૃક્ષો કાપી પર્યાવરણને નુકસાન પહોંચાડી પર્યાવરણનો સંપૂર્ણ રીતે સરકાર નાશ કરી રહી છે.એક વૃક્ષ ને મોટું કરવા માટે કેટલા વર્ષો વીતી જાય છે અને વિકાસના નામ પર એક જ દિવસમાં એ વૃક્ષને કાપી નાખવામાં આવે છે.જ્યારે કેટલાક રાજ્યોમાં વૃક્ષોને કાપ્યા વગર એક જગ્યાએથી બીજી જગ્યાએ પણ ખસેડી શકે તેવા મશીનો ઉપલબ્ધ છે.ત્યારે ગુજરાત સરકાર આવા મશીનોનો ક્યારે ઉપયોગ કરશે અને વિકાસની સાથે-સાથે પર્યાવરણની પણ ક્યારે સુરક્ષા કરશે તે તો હવે આવનારો સમય જ બતાવશે.

Advertisement


Share

Related posts

ભરૂચમાં ભુ માફિયા બેફામ: આદિવાસી સમાજના લોકોની જમીનો પચાવી પાડવાનું કારસ્તાન: કોંગ્રેસી કાર્યકરો નું કલેકટરને વિસ્તૃત આવેદન*

ProudOfGujarat

સુરત : મોબાઈલ અને રૂપિયા આપવાનું કહી હોસ્પિટલના સર્વન્ટે આચર્યું દુષ્કર્મ : પોલીસે પીડિતાની ફરિયાદ પણ ના નોંધી

ProudOfGujarat

ભરૂચમાં ગરબા રમવાના મામલે પરિવાર પર 11 જણાનો હુમલો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!