Proud of Gujarat
FeaturedGujarat

અંકલેશ્વર- જુનાદીવા ગામે નદીમાં ન્હાવા પડેલા યુવાનો તણાયા.૫ પૈકી ૨ નો બચાવ…

Share

વિનોદભાઇ પટેલ

પ્રાપ્ત માહિતી અનુસાર અંકલેશ્વરના જુના દીવા ગામના યુવાનો બોરભાઠા નજીક આવેલ નર્મદા નદીમાં ગરમીના કારણે નાહવા પડ્યા હતા.પરંતુ અચાનક પાણીનો પ્રવાહ વધતાં પાંચ જેટલા યુવાનો નર્મદા નદીમાં ડૂબી જવા પામ્યા હતા.જેમાં બે જેટલા યુવાનોને ગામના વડીલોએ બચાવ્યા હતા જયારે અન્ય ત્રણ યુવાનો હજી પણ લાપતા છે.૫ યુવાનો માંથી રોશન પટેલ અને યતીન પટેલને બચાવી લેવામાં આવ્યા હતા જયારે બીજા મિત્ર વિનય પટેલ, શિવ ભરડીવાલા, અને અનિરુદ્ધ રાજને બચાવા જતા પાણી વધતા તેવો એકદમ તળાય ગયા.ઘટનાની જાણ થતા જ અંકલેશ્વર ફાયર બ્રિગેડ તથા અંકલેશ્વર શહેર પોલીસ ઘટના સ્થળે પહોંચી યુવાનોની શોધખોળ કરવાના પ્રયાસો ચાલુ કર્યા છે. ત્યારે બીજી તરફ અંકલેશ્વરના જુનાદીવા ગામમાં આસમાન તૂટી પડ્યું હોય તેવો માહોલ સર્જાયો છે.

Advertisement


Share

Related posts

અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ સોસાયટીના મોબાઇલ વેન પ્રોજેક્ટ અંતર્ગત અપાશે પ્રૌઢ શિક્ષણ

ProudOfGujarat

અંકલેશ્વર ના પ્રતિનચોકડી પાસે આવેલા સાંઈ ગોલ્ડન એપાર્ટમેન માં રહેતા મુસ્લીમ પરીવાર ના ઘર ને તસ્કરો એ નિશાન બનાવી અંદાજીત ૩.૫૦ લાખ ઉપરાંત ની મત્તા ઉપર હાથફેરો કરી પલાયન થઇ જતા ચકચાર મચી જવા પામી હતી

ProudOfGujarat

ગુજરાતના ડાયમંડ સીટી સુરતમાં 500 કરોડના રિયલ ડાયમંડના ગણપતિની સ્થાપના કરાઇ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!