Proud of Gujarat
FeaturedGujarat

અંકલેશ્વર- જીઆઇડીસી વિસ્તારમાં આવેલા આદિત્ય નગર સોસાયટી માં એક બિનવારસી મહિલાની લાશ મળી આવતા પોલીસે તપાસનો દોર શરૂ કર્યો…..

Share

વિનોદભાઇ પટેલ

મળતી માહિતી અનુસાર અંકલેશ્વર જીઆઇડીસી વિસ્તારમાં આવેલ આદિત્ય નગર સોસાયટીમાં સાંજના સમયે એક બિનવારસી હાલતમાં મહિલાની લાશ મળી આવી હતી. ઘટનાની જાણ થતા જ અંકલેશ્વર જીઆઇડીસી પોલીસ સ્ટેશનના પી.એસ.આઈ ગઢવીએ ઘટના સ્થળે પહોંચી બિનવારસી હાલતમાં મહિલાના મૃતદેહનો કબજો લઇ વાલી-વારસદારની શોધખોળ ચાલુ કરવાના પ્રયાસો ચાલુ કર્યા છે. હાલ આ મહિલા ની ઉંમર આશરે 45 થી 50 ની વચ્ચે હોય તેવું જાણવા મળી રહ્યું છે. આ મહિલાના મરવાનું ચોક્કસ કારણ શહેર પોલીસ જાણી શકી નથી માટે મહિલાના મૃતદેહને પીએમ અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે.

Advertisement


Share

Related posts

હડતાળ પર ઉતરેલા પંચાયત હસ્તકના આરોગ્ય કર્મચારીઓ દ્વારા અમદાવાદમાં મહારેલી કાઢવામાં આવી.પંચાયત હસ્તકના આરોગ્ય કર્મચારીઓ ગ્રેડ પે સહીતના પડતર પ્રશ્નોના ઉકેલ માટે હડતાળ ઉપર ઉતર્યા…

ProudOfGujarat

પંચમહાલ જિલ્લામાં કોરોના સંદર્ભે વિવિધ સમાજનાં અગ્રણીઓ સાથે જિલ્લા કલેક્ટરશ્રીએ બેઠક યોજી.

ProudOfGujarat

બાઇક સવાર દંપતી-પુત્રને પિકઅપ જીપે ટક્કર મારી : પિતાનું મોત, માતા-પુત્રને ગંભીર ઇજા

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!