Proud of Gujarat
FeaturedGujarat

અંકલેશ્વર- જીઆઇડીસી વિસ્તારમાં આવેલા આદિત્ય નગર સોસાયટી માં એક બિનવારસી મહિલાની લાશ મળી આવતા પોલીસે તપાસનો દોર શરૂ કર્યો…..

Share

વિનોદભાઇ પટેલ

મળતી માહિતી અનુસાર અંકલેશ્વર જીઆઇડીસી વિસ્તારમાં આવેલ આદિત્ય નગર સોસાયટીમાં સાંજના સમયે એક બિનવારસી હાલતમાં મહિલાની લાશ મળી આવી હતી. ઘટનાની જાણ થતા જ અંકલેશ્વર જીઆઇડીસી પોલીસ સ્ટેશનના પી.એસ.આઈ ગઢવીએ ઘટના સ્થળે પહોંચી બિનવારસી હાલતમાં મહિલાના મૃતદેહનો કબજો લઇ વાલી-વારસદારની શોધખોળ ચાલુ કરવાના પ્રયાસો ચાલુ કર્યા છે. હાલ આ મહિલા ની ઉંમર આશરે 45 થી 50 ની વચ્ચે હોય તેવું જાણવા મળી રહ્યું છે. આ મહિલાના મરવાનું ચોક્કસ કારણ શહેર પોલીસ જાણી શકી નથી માટે મહિલાના મૃતદેહને પીએમ અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે.

Advertisement


Share

Related posts

ગુજરાત રાજ્યમાં ઉદ્યોગકારોના હિત માટે થનારી નવી જાહેરાતોની રાહ જોતા ઉદ્યોગકારો.

ProudOfGujarat

“માતામરણ” અટકાવવા માટે એન્ટીશોક ગારમેન્ટ ડીવાઇઝનો ધોળકા ખાતેથી પ્રારંભ કરવામાં આવ્યો.

ProudOfGujarat

વડોદરા જિલ્લાના કરજણ નગરના વાતાવરણમાં પલટો, કમોસમી વરસાદ વરસતા ખેડૂતો વિમાસણમાં મુકાયા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!