Proud of Gujarat
FeaturedGujarat

ભરૂચ:દહેજ પોલીસ મથકે બળાત્કારના આરોપીને ફાંસી આપવામાં આવે તે માટે ગામના રહીશો દ્વારા આવેદન પત્ર પાઠવવામાં આવ્યું.

Share

દિનેશભાઇ અડવાણી

ભરૂચ જિલ્લાના સુવા ગામ ખાતે ગઈકાલના રોજ થયેલ અમાનવીય કૃત્યના પગલે ગામના લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.એક ૨ વર્ષની નાની બાળકી પર નરાધમે બળાત્કાર ગુજારીઓ હતો.ગામના લોકોએ આવેદન પત્ર માં જણાવ્યું છે કે માનવતાને નેવે મૂકે તેવું આ કૃત્ય પરપ્રાંતીય લોકો દ્વારા કરવામાં આવ્યું છે. આ લોકો અમારા જ વિસ્તારમાં રહીને રોજગારી કરે છે, ધંધો કરે છે અને જો આજ પરપ્રાંતીય લોકો આવું કૃત્ય કરે એ આપડા માટે ભય જનક કહી શકાય તેવું ગામના લોકોએ આવેદન પત્રમાં જણાવ્યું છે.

Advertisement

ગામના લોકો દ્વારા માંગણી કરવામાં આવી છે આરોપીને ફાંસી ની સજા થવી જોઈએ તેમજ આવનારા સમયમાં આવી બીજી કોઈ ઘટના ન બને તેની બાહેંધરીની પણ માંગણી કરવામાં આવી છે.વધુમાં ગામના લોકોએ જણાવ્યું હતું કે જ્યાં સુધી બાળકીને ન્યાય ન મળે ત્યાં સુધી અમે જંપીશુ નહિ અને જો હમણાં ન્યાય નહિ મળે તો ગામના લોકોએ ડર અને બીકના માહોલમાં જીવવું પડશે તેવું ગામના રહીશોએ આવેદન પત્રમાં જણાવ્યું છે.


Share

Related posts

વિધાનસભા ચૂંટણી પહેલા જ ભરૂચ કોંગ્રેસમાં આંતરિક ઘમાસાણ શરૂ, વાગરા તાલુકામાં એક બાદ એક પડયા રાજીનામા.

ProudOfGujarat

ભરૂચ ના દહેજ બાયપાસ ઓવર બ્રિજ પાસે સાંજ ના સમયે મોપેડ અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાતા એક મહિલાનું મોત તેમજ એક બાળક ને ઈજાઓ પહોંચી હતી…જયારે ઘટના ને લઇ લોકો માં રોષ ફાટી નિકળ્યો હતો.  .

ProudOfGujarat

અમદાવાદ જીલ્લાના દક્ષિણ બોપલમાં “ગ્રીન સોબો” કેમ્પેઇન અંતર્ગત 200 વૃક્ષો રોપાયા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!