Proud of Gujarat
FeaturedGujarat

અખાત્રીજ નિમિત્તે અંકલેશ્વરના શહેરીજનોએ નવીન ચીજવસ્તુઓ તેમજ સોનાની ખરીદી કરી શુકન કર્યા હતા.

Share

વિનોદભાઇ પટેલ

વૈશાખ સુદ ત્રીજના દિવસને વર્ષનું સર્વશ્રેષ્ઠ મુહૂર્ત ગણવામાં આવે છે. આજના દિવસ સાથે કેટલીય મહત્વની ઘટનાઓ સંકળાયેલી છે જેમાં પરશુરામ અવતરણ, ગંગા અવતરણ, ભગવાન શ્રી કૃષ્ણ તથા સુદામાનું પુનઃ મિલન તેમજ ત્રેતા યુગના પ્રારંભ જેવી ઘટનાઓ આજના દિવસ સાથે સંકળાયેલી છે. આજના દિવસને અતિ પવિત્ર અને શુભ ગણવામાં આવે છે આજના દિને લોકો નવીન ચીજવસ્તુઓ ખરીદી તેમજ સોનાની ખરીદી કરી શુકન કરે છે. અંકલેશ્વર ખાતે લોકોએ સોનાની ખરીદી કરી હતી. શહેરીજનોએ વિવિધ જવેર્લ્સની શોપમાંથી સોનુ ખરીદી શુકન કર્યા હતા. તો વાહનોની ખરીદીમાં પણ લોકોએ ઉત્સાહ બતાવ્યો હતો.

Advertisement


Share

Related posts

અમદાવાદ – એસજી હાઈવે, સિંધુભવન રોડ પરના કેફેમાં પોલીસે કર્યું સરપ્રાઈઝ ચેકિંગ

ProudOfGujarat

રાજપીપળામાં લારીમાં શાકભાજી વેચનાર યુવાન લોકો માટે ઉદાહરણરૂપ લારી પર આવતા ગ્રાહકોને સેનેટાઇઝથી હાથ સાફ કરાવે છે.

ProudOfGujarat

ન્યુઝ 18 નાં એન્કર દ્વારા હઝરત ખ્વાઝા ગરીબ નવાઝ વિશે અભદ્ર ટિપ્પણી કરતાં અંકલેશ્વરનાં મુસ્લિમ સમાજનાં આગેવાનો દ્વારા શહેર પોલીસ મથકે પીઆઇ સાહેબને આવેદનપત્ર આપવામાં આવ્યું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!