Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વર મા ગુજરાત સ્થાપના દિનની પ્રદુષણમય ઉજવણી

Share

ઉધોગોને મુખ્યમંત્રી આવતા હોવાથી પ્રદુષણ ન ફેલાવવા તાકીદ કરાઈ

હાઈકોર્ટ ની ઝાટકણી બાદ હવે જી.પી.સી.બી શું પગલા લી છે એ જોવુ રહ્યુ.

Advertisement

ગુજરાત સ્થાપના દિને મુખ્યમંત્રી અંકલેશ્વર પધારી રહ્યા છે. તે ટાણે જ ગુજરાત હાઈકોર્ટ જી.પી.સી.બી પ્રદુષણ મુદ્દે કડક શબ્દોમા આટકી નાખતા આ મુદ્દે ટોક ઓફ ધ ટાઉન છે. નેતાઓએ રાજકીય રોકવા માટે અંકલેશ્વર પાનોલીને ક્રીટીકલ ઝોનમાથી મુક્તિ આપી અને પ્રદુષણ ઘટાડવા માટે સાદી ભાષામા ટકોર કરી. જો કે પ્રદુષણ ઘટડાવાના બદલે નિરંતર વધતુ જઈ રહ્યુ છે. એ કડવી વાસ્તવીકતા છે. સ્થાનિક જી.પી.સી.બી ના આર.ઓ તેમજ યુનિટ હેડ પ્રદુષણને નિયંત્રિત કરવાની કરવાની દિશામા અસારકારક પગલા લેવાની તેમની મુળભુત ફરજને ભુલીને અન્ય કામગીરીઓમા જ વ્યસ્ત રહેતા હોવાથી હાલ પરિસ્થીતી બદલીએ બદતર બની જાય એવી શક્યતા છે. ભુતિયા કનેકશનો ધરાવતી કંપનીઓ સામે જી.પી.સી.બી એ પોલીસ ફરીયાદ નોંધાવીને દેખાડો કર્યા પરંતુ એનો કોઈ નક્કર પરચો જે તે ઉધોગગૃહ કે સંચાલકો ને અત્યાર સુધી માળ્યો નથી. કરવા ખાતર જ જી.પી.સી.બી આવી કામગીરી કરતી હોય એ સ્પષ્ટ નજરે પડે છે. વધુ પ્રદુષણ પણ રોજ-રોજ થાય છે. એ નગરજનો એ પણ અનુભવ્યુ છે. રોજ રાત્રે તીવ્ર દુર્ગધ મારતા વાયુઓ કેટલાક ઉધોગો મુકત કરે છે અને ધીમુ ઝેર આપે છે. જો કે હાલ ૧ લી મેના રોજ ગુજરાત સ્થાપના દિન નિમિત્તે મુખ્યમંત્રી આવવાના હોવાથી જી.પી.સી.બી ના અન્ય તંત્રોએ પોતાની પ્રદુષણ નિયંત્રણ કામગીરી પોલ ન ખુલે એ માટે ઉધોગોને કોઈ પણ પ્રકારનુ પ્રદુષણ ન ફેલાવવા તાકીદ કરી છે. પ્રદુષણના જોખમ વચ્ચે એક તરફ અંકલેશ્વર મા ગુજરાત સ્થાપના દિનની ઉજવણી થઈ રહી છે. ત્યારે મુખ્યમંત્રી અને સાથે અવારનવાર રાજકીય મહાનુભાવો એ અંકલેશ્વર જી.આઈ.ડી.સી મા અને શહેરમા વકરતા પ્રદુષણ અંગે કડક સુચના આપવી જોઈએ અન્યથા હાઈકોર્ટ ના સુચના મૂજબ આ કચેરી અને આખુ બોર્ડ જ વિખેરી નાખવુ જોઈએ એવી પણ વ્યાપક લોક માંગ ઉઠી રહે છે.


Share

Related posts

લીંબડી તાલુકા પંચાયત કચેરી ખાતે પોતાની પડતર માંગણીઓને લઈને લીંબડી વીસીઈ મંડળ દ્વારા મંડળ પ્રમુખના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઇ.

ProudOfGujarat

ભરૂચ તાલુકાનાં વરેડિયા ગામ નજીક નિર્માણ પામનારા એજ્યુકેશન સિટીની જગ્યાની દાવતે ઇસ્લામી હિંદના નિગ રાન સૈયદ આરીફ અલી બાપુએ મુલાકાત લીધી હતી.

ProudOfGujarat

નેત્રંગ ગ્રામ પંચાયત ૧૯૦ બોર-હેન્ડપંપમાંથી માત્ર ૧૨૦ ચાલુ,બાકીમાં પાણી સુકાયા

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!