Proud of Gujarat
FeaturedGujarat

અંકલેશ્વર અને હાંસોટ રોડ ઉપર સેલારવાડ પાસે મુખ્ય માર્ગ પર ભુવો પડતા વાહન ચાલકો અકસ્માતની ભીતિ સેવી રહ્યા છે.

Share

વિનોદભાઇ પટેલ

શુક્રવારના રોજ બપોરે અંકલેશ્વર સ્ટેશન રોડ પર આવેલ સેલારવાડના મુખ્ય માર્ગ ઉપર અચાનક રોડની વચ્ચે 1 ફૂટ પહોળો ભુવો પડ્યો હતો જે ભૂવાના અંદરથી વધુ માટી ધસી પડતા 3 થી 4 ફૂટ ઊંડાઇનો થઇ ગયો હતો.ભુવાના પગલે વાહન ચાલકો અકસ્માતની ભીતિ સેવી રહ્યા છે.જૂની ડ્રેનેજ લાઇન બેસી જવાને કારણે ભુવો પડયો હોવાનું પ્રાથમિક અનુમાન સેવાઈ રહ્યું છે. અંકલેશ્વર નગર પાલિકાના અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવી તપાસ હાથ ધરી હતી.ત્યારે અચાનક ભૂવો પડતા લોકોમાં તંત્ર સામે રોષ જોવા મળી રહ્યો છે.

Advertisement


Share

Related posts

ભરૂચ જિલ્લાના ચાચેવલ ગામના અંદાજે 35 થી 40 વિદ્યાર્થીઓએ ભરૂચ ડેપો મેનેજરને લેખિત રજૂઆત કરી છે

ProudOfGujarat

અંકલેશ્વર પંથકમાં ભર બપોરે વાતાવરણમાં પલટો આવ્યો હતો અને વરસાદી ઝાપટા વરસ્યા હતા

ProudOfGujarat

ભરૂચ : એ ડિવિઝન પોલીસની કસ્ટડીમાં કોરોના પોઝિટિવ આવેલ આરોપી સિવિલ હોસ્પિટલમાં કોરોનાની સારવાર બાદ ડિસ્ચાર્જ લઈ ફરાર થઈ જતાં પોલીસતંત્રમાં દોડધામ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!