Proud of Gujarat
Crime & scandalFeaturedGujarat

અંકલેશ્વર-ચંદનના ઝાડની ચોરી કરતી ટોળકી સક્રિય બની,વધુ એક ગામમાં ચંદનના ઝાડની ચોરી ની ઘટના સામે આવી.

Share

દિનેશભાઈ અડવાણી

અંકલેશ્વરના સજોદ ગામ ખાતે લક્ષ્મી નારાયણ મંદિર માંથી 3 ચંદનના ઝાડ કાપી નાખ્યા હતા.3 ઝાડ પૈકી 2 ઝાડ ચોરી કરી લઇ ગયા હતા. છેલ્લા ઘણા દિવસોથી ચંદનના ઝાડ ચોરીનો ચોથો બનાવ સામે આવ્યો છે. અન્ય ગામો ખાતે પણ ચંદનના ઝાડની તસ્કરી થઈ પણ કોઈ ફરિયાદ કરવામાં આવી ના હતી. જ્યારે નાંગલ ગામે હાલમાંજ 4 ખેડૂતોને ત્યાં ચંદનના ઝાડ ની તસ્કરી થઇ હોવાની ફરિયાદ નોંધાય હતી.

Advertisement

અંકલેશ્વર તાલુકાના સજોદ ગામ ખાતે ગામની વચ્ચોવચ આવેલ લક્ષ્મી નારાયણ મંદિરના વાડામાં ચંદનના ઝાડ હતા. જેને રાત્રીના સમયે તસ્કરોએ મૂળ માંથી કાપી નાખ્યા હતા. જે પૈકી 2 ઝાડ ચોરી કરી લઇ ગયા હતા જ્યારે ત્રીજું ઝાડ ત્યાંજ કાપીને મૂકી ગયા હતા. સવારે મંદિરના પૂજારી તેમજ ગ્રામજનો આવતા ચોરી થઇ હોવાનું બહાર આવ્યું હતું. આ અંગે તાલુકા પોલીસ મથકે પણ જાણ કરવામાં આવી હતી.


Share

Related posts

અમદાવાદ સાબરમતી રિવરફ્રન્ટ પર નવું સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બનશે

ProudOfGujarat

કેન્દ્રીય મંત્રી મીનાક્ષી લેખીએ કિસાનોને કહ્યાં મવાલી, શરૂ થયો વિવાદ.

ProudOfGujarat

મહીસાગર જીલ્લા કક્ષાનો પશુ આરોગ્ય મેળો યોજાયો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!