Proud of Gujarat
Crime & scandalFeaturedGujarat

અંકલેશ્વર-ચંદનના ઝાડની ચોરી કરતી ટોળકી સક્રિય બની,વધુ એક ગામમાં ચંદનના ઝાડની ચોરી ની ઘટના સામે આવી.

Share

દિનેશભાઈ અડવાણી

અંકલેશ્વરના સજોદ ગામ ખાતે લક્ષ્મી નારાયણ મંદિર માંથી 3 ચંદનના ઝાડ કાપી નાખ્યા હતા.3 ઝાડ પૈકી 2 ઝાડ ચોરી કરી લઇ ગયા હતા. છેલ્લા ઘણા દિવસોથી ચંદનના ઝાડ ચોરીનો ચોથો બનાવ સામે આવ્યો છે. અન્ય ગામો ખાતે પણ ચંદનના ઝાડની તસ્કરી થઈ પણ કોઈ ફરિયાદ કરવામાં આવી ના હતી. જ્યારે નાંગલ ગામે હાલમાંજ 4 ખેડૂતોને ત્યાં ચંદનના ઝાડ ની તસ્કરી થઇ હોવાની ફરિયાદ નોંધાય હતી.

Advertisement

અંકલેશ્વર તાલુકાના સજોદ ગામ ખાતે ગામની વચ્ચોવચ આવેલ લક્ષ્મી નારાયણ મંદિરના વાડામાં ચંદનના ઝાડ હતા. જેને રાત્રીના સમયે તસ્કરોએ મૂળ માંથી કાપી નાખ્યા હતા. જે પૈકી 2 ઝાડ ચોરી કરી લઇ ગયા હતા જ્યારે ત્રીજું ઝાડ ત્યાંજ કાપીને મૂકી ગયા હતા. સવારે મંદિરના પૂજારી તેમજ ગ્રામજનો આવતા ચોરી થઇ હોવાનું બહાર આવ્યું હતું. આ અંગે તાલુકા પોલીસ મથકે પણ જાણ કરવામાં આવી હતી.


Share

Related posts

જૂનાગઢ-ઘરમાં ઘુસેલા ચાર શખ્સોએ વૃદ્ધ દંપતીને ઈજા પહોંચાડી રૂ.39000 ની લૂંટ ચલાવી

ProudOfGujarat

ઝઘડિયા ખાતે આઇટીઆઇ કર્મચારીઓએ બે માંગણીઓ બાબતે મામલતદારને આવેદન આપ્યું.

ProudOfGujarat

ભરૂચ થી જંબુસર જવાનાં માર્ગ પર અકસ્માત નો બનાવ,દેરોલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ના 2 કર્મચારી ઓના મોત

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!