Proud of Gujarat
FeaturedGujarat

અંકલેશ્વર- વરસાદી કાસના પાણીની આડમાં કંપનીઓ છોડી રહી છે કેમિકલવાળું પાણી, સ્થાનિકોનો આક્ષેપ…

Share

દિનેશભાઇ અડવાણી

હાલ ચોમાસાની શરૂઆત થઇ ચૂકી છે ત્યારે અંકલેશ્વરમાં પણ વહેલી સવારે ધોધમાર વરસાદ પડયો હતો.જેમાં સમગ્ર અંકલેશ્વર શહેરમાં ઠે- ઠેર વરસાદી નું પાણી ભરાયું હતું ત્યારે કહેવાય છે કે વરસાદના પાણી સાથે-સાથે અંકલેશ્વર યુ.પી.એલ કંપની પાછળના ભાગેથી ભૂતિયા કનેક્શન દ્વારા યુ.પી.એલ કંપની વરસાદી પાણીની સાથે કેમિકલવાળું પાણી બહાર કાઢી રહી હોય તેવું સ્થાનિકો જણાવી રહ્યા છે.ચાલતી ચર્ચા મુજબ અંકલેશ્વર યુ.પી.એલ કંપનીની પાછળ પટેલ નગર વિસ્તાર પાસે કેટલાક ભરવાડ સમાજના લોકો વસે છે તેમના જણાવ્યા અનુસાર યુ.પી.એલ કંપની પાછળની દીવાલ પાસેથી ભૂતિયા કનેક્શન દ્વારા કેમિકલવાળું પાણી બહાર કાઢી રહી છે.જેના કારણે સ્થાનિકોને તથા ગાય-ભેંસને પણ નુકસાન પહોંચી રહ્યું છે. ત્યારે હવે ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ આવી કંપનીઓ ઉપર કાર્યવાહી કરે તેવી સ્થાનિકો માંગ કરી રહ્યા છે.

Advertisement


Share

Related posts

જંબુસરનાં નહાર ગામથી 5 જુગારીઓને કાવી પોલીસે ઝડપી પાડયા.

ProudOfGujarat

આમોદ તાલુકાના રનાડા ગામે પ્રાથમિક શાળાના શિક્ષકની બદલી થતા વિદાય સમારંભ યોજાયો.

ProudOfGujarat

ભરૂચ જીલ્લામાં સાયબર ક્રાઇમનાં વધતાં જતાં નાણાંકીય છેતરપિંડીનાં બનાવોમાં રૂ.33,182 રિફંડ કરાવી આપતી ભરૂચ સાયબર સેલ પોલીસ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!