Proud of Gujarat
FeaturedGujarat

અંકલેશ્વર- વરસાદી કાસના પાણીની આડમાં કંપનીઓ છોડી રહી છે કેમિકલવાળું પાણી, સ્થાનિકોનો આક્ષેપ…

Share

દિનેશભાઇ અડવાણી

હાલ ચોમાસાની શરૂઆત થઇ ચૂકી છે ત્યારે અંકલેશ્વરમાં પણ વહેલી સવારે ધોધમાર વરસાદ પડયો હતો.જેમાં સમગ્ર અંકલેશ્વર શહેરમાં ઠે- ઠેર વરસાદી નું પાણી ભરાયું હતું ત્યારે કહેવાય છે કે વરસાદના પાણી સાથે-સાથે અંકલેશ્વર યુ.પી.એલ કંપની પાછળના ભાગેથી ભૂતિયા કનેક્શન દ્વારા યુ.પી.એલ કંપની વરસાદી પાણીની સાથે કેમિકલવાળું પાણી બહાર કાઢી રહી હોય તેવું સ્થાનિકો જણાવી રહ્યા છે.ચાલતી ચર્ચા મુજબ અંકલેશ્વર યુ.પી.એલ કંપનીની પાછળ પટેલ નગર વિસ્તાર પાસે કેટલાક ભરવાડ સમાજના લોકો વસે છે તેમના જણાવ્યા અનુસાર યુ.પી.એલ કંપની પાછળની દીવાલ પાસેથી ભૂતિયા કનેક્શન દ્વારા કેમિકલવાળું પાણી બહાર કાઢી રહી છે.જેના કારણે સ્થાનિકોને તથા ગાય-ભેંસને પણ નુકસાન પહોંચી રહ્યું છે. ત્યારે હવે ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ આવી કંપનીઓ ઉપર કાર્યવાહી કરે તેવી સ્થાનિકો માંગ કરી રહ્યા છે.

Advertisement


Share

Related posts

એકતા આર કપૂર અને મહાવીર જૈને તેમના હ્રદયસ્પર્શી ફેમિલી એન્ટરટેઈનર – બિન્ની એન્ડ ફેમિલીનો ફર્સ્ટ લૂક રિલીઝ કર્યો

ProudOfGujarat

ઓલ ઇન્ડિયા સિવિલ સર્વિસિસ એથલેટીક્સ ડિસ્કસ થ્રો માં બ્રોન્ઝ મેડલ મેળવી દર્શના પટેલે રાષ્ટ્રીય કક્ષાએ ગુજરાતનું ગૌરવ વધાર્યું

ProudOfGujarat

નડિયાદ : વસો ખાતે ફૂડ સેફ્ટી અવેરનેસ તથા લાઈસન્સ રજીસ્ટ્રેશન કેમ્પ યોજાયો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!