Proud of Gujarat
GujaratFeaturedINDIA

અંકલેશ્વર નેશનલ હાઇવે ઉપર ટ્રક અને એસ ટી બસ વચ્ચે અકસ્માત સર્જાતા ૧૦થી વધુ મુસાફરો ઘાયલ-સુરત તરફ જતી એસ ટી બસ ને નડ્યો અકસ્માત…

Share

બનાવ અંગે ની જાણવા મળતી માહિતી મુજબ રાત્રીના સમયે ભરૂચ-અંકલેશ્વર વચ્ચે નેશનલ હાઇવે ઉપર આવેલ હોટલ નર્મદા ગેટ નજીક એસ ટી બસ અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાતા બસ માં સવાર મુસાફરો ના જીવ ટાળવે ચોંટી ગયા હતા અને ભારે ભય માં મુકાયા હતા…
ટ્રક અને સુરત તરફ જતી એસ ટી બસ વચ્ચે સર્જાયેલ અકસ્માત માં ૧૦ થી વધુ મુસાફરોને નાની મોટી ઈજાઓ પહોંચતા તેઓને તાત્કાલિક સારવાર અર્થે ૧૦૮ એમ્બ્યુલન્સ ની મદદ થી હોસ્પિટલ ખાતે ખસેડવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.ઘટના ના પગલે પોલીસ વિભાગે પણ ઘટના સ્થળે દોડી જઇ બનાવ ની હકીકત મેળવી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી..જોકે સદનસીબે સમગ્ર બનાવ માં કોઈ જાનહાની થવા પામી ન હતી……

Advertisement

Share

Related posts

જંબુસર તાલુકાનાં ૫૧૫ શ્રમિકોને વતન જવા માટે ભરૂચ રવાના કર્યા.

ProudOfGujarat

વાપી જીઆઇડીસીની ખાનગી કંપનીની જમીનમાં દાટી દેવાયેલો એક્સપાઈરી ડેટનો મેડિકલનો જથ્થો મળી આવ્યો.

ProudOfGujarat

ધો.10 અને 12ની પરીક્ષાનો કાર્યક્રમ જાહેર કરાયો શિક્ષણ બોર્ડ દ્વારા

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!