Proud of Gujarat
GujaratFeaturedINDIA

અંકલેશ્વરનાં મલયાલી-કેરેલા સમાજે ઓનમની ઉજવણી મોકુફ રાખી…

Share

કેરેલાનાં પીડીતો માટે રૂ.૧૦ લાખની સહાય મોકલશે…

દેશમાં કુદરતી આફતોમાં સૌથી વધુ અસરગ્રસ્ત એવાં કેરેલાનાં હાલ અત્યારે દયાજનક છે ત્યારે અંકલેશ્વર કેરેલા-મલયાલીસમાજે પણ સહાયનો ધોધ વહાવ્યો છે.

Advertisement

કેરેલામાં હાલ ૧૨ જીલ્લાઓમાં હજારો કરોડની ખાનાખરાબી સર્જાઈ છે. અને લાખો લોકો બેઘર બન્યાં છે. અંકલેશ્વરમાં પણ મોટી સંખ્યામાં કેરેલાનાં રહેવાસીઓ નોકરી ધંધા અર્થે વસ્યાં છે ત્યારે સ્વાભાવિક રીતે તેઓને કેરેલામાં વસતા પોતાના પરિવારજનો અને સગાસંબધીઓ તથા અન્યો માટે ચિંતાની લાગણી થઈ રહી છે. કુદરતી પ્રકોપનો ભોગ બનેલાં કેરેલાનાં ભાઈભાંડુઓને મદદરૂપ થવા અંકલેશ્વર નાં કેરાલિયન સમાજે કમર કસી છે કેરેલાનાં મલયાલી સમાજનાં અંકલેશ્વરનાં અગ્રણી સુગુનન રામકૃષ્ણએ જણાવ્યુ હતું કે અમે ઓનમની ઉજવણી રદ કરી છે અને એમાં વપરાતાં નાણાં ઉપરાંત અન્ય નાણા ઉઘરાવીને રૂ.૧૦ લાખની રોકડ સહાય મુખ્યમંત્રી રાહત ફંડમાં આપીશું જેનાથી વિસ્થાપિતોને નવા મકાન મળી રહે.

નોંધનીય છે કે કેરેલાનાં લોકોને માટે હાલ સમગ્ર દેશમાંથી વસ્ત્રો, ભોજન સામગ્રી વગેરે મોટા પ્રમાણમાં ઉપલબ્ધ કરવાઈ રહ્યા છે અને હવે તેઓનાં રહેઠાળનો પ્રશ્ન ઊભો થશે ત્યારે રોકડ સહાયનીજ વધુ જરૂર પડશે આથી અંકલેશ્વર મલયાલી સમાજ દ્વારા રોકડ સહાય પર જ ધ્યાન કેન્દ્રિત કરાયું છે.


Share

Related posts

ભરૂચ : ચોમાસાની શરૂઆતે જ વરસાદની ખેંચથી ઝઘડીયા તાલુકાના ખેડૂતો ચિંતિત…

ProudOfGujarat

રાજપીપળા ખાતે આંબેડકર ભવનની સામે આવેલ ગાંધીજીની પ્રતિમા પાસે સ્વચ્છતા અભિયાનના ઉડયા ધજાગરા.

ProudOfGujarat

વલણ ગામે ટી.કે. આઈડિઅલ ટ્રસ્ટ અને ક્લિનિક દ્વારા 6 ઠ્ઠો હિજામા કેમ્પ (કપિંગ થેરાપી) યોજાયો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!