Proud of Gujarat
GujaratFeaturedINDIA

અંક્લેશ્વર-પાનોલી સહિત દક્ષિણ ગુજરાતની ઇન્ડસ્ટ્રિ માટે નાણાં ઉઘરાવાયા….

Share

૧૨  ડિસેમ્બરે અમદાવાદનાં કાર્યક્રમ માટે પૈસા ઉઘરાવનાર કોણ..??

તા-૧૨ ડિસેમ્બરેનાં રોજ અમદાવાદ ખાતે જી.પી.સી.બી. – જી.આઇ.ડી.સી. નાં અધિકારીઓના અભિવાદન સમારોહમાં દક્ષિણ ગુજરાતના જી.પી.સી.બી. ના એક અધિકારીએ નાણાં ઉઘરાવ્યા હોવાની ચર્ચા હાલ વિવાદો સર્જી રહી છે.મળતી આધારભુત માહિતી અનુસાર અંક્લેશ્વર-પાનોલી સહિત સમગ્ર ગુજરાતની તમામ ઓધ્યોગિક વસાહતો દ્વારા તા.-૧૨ ડિસેમ્બરે અમદાવાદ ખાતે સરકાર દ્વારા જાહેર કરાયેલ નવી નીતિ અને રાહતો માટેનો અભિવાદન સમારોહ યોજાયો હતો. જેનું જી.ડી.એમ.એ. એ નેત્રુત્વ લીધુ હતુ.આ સમારોહમાં આખા ગુજરાતના તમામ ઓધ્યોગિક વસાહતોના ઉધ્યોગ મંડળો ઉપરાંત સી.ઇ.ટી.પી.ના મેમ્બર્સ પણ સહયોગી હતા.આમ છતા કહેવાય છે કે દક્ષિણ ગુજરાતની ઓધોગિક વસાહતોનાં એક અધિકારીને આ સમારોહના નામે ભરૂચથી લઇ વાપી સુધીના ઉધ્યોગ ગ્રુહો અને ઉધ્યોગ મંડળો પાસે થી એક કરોડ ઉપરાંતનાં નાણાં ઉઘરાવ્યા હોવાની ચર્ચા છે.આ અધિકારી કોણ એ હવે તપાસનો વિષય છે.જ્યારે ખુદ સરકારી કર્મચારીઓ ઉધ્યોગના ફંકશનના નામે લાખો રૂપિયા ઉઘરાવી ખુદ સરકારને જ અંધારામાં રાખે ત્યારે તેમના પર કોણ  અંકુશ લાવશે એ હવે વિચાર માંગી લે એવી બાબત છે  ….

Advertisement

Share

Related posts

જામનગર મોડી રાત્રે શહેરના માંડવી ટાવર વિસ્તારમાં બની હત્યાની ઘટના બનતા ખળભળાટ….

ProudOfGujarat

ભરૂચ રેલવે સ્ટેશનની મુલાકાત લેતા પચ્છિમ રેલવેના જનરલ મેનેજર એ.કે.ગુપ્તા .ભરૂચ રેલવે સ્ટેશન ખાતે સુખ સુવિધામાં વધારો કરાશે …..

ProudOfGujarat

ભરૂચ જિલ્લામાંથી અંદાજિત 1 હજાર કરોડનું 513 કિલો ડ્રગ્સ જપ્ત, મુંબઈ પોલીસે કરી કાર્યવાહી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!