Proud of Gujarat
FeaturedGujarat

અંકલેશ્વર નગરપાલિકા દ્વારા લાખો રૂપિયાના ખર્ચે લગાવવામાં આવેલ ટ્રાફિક સિગનલ આજે પણ શોભાના ગાંઠિયા સમાન જોવા મળી રહ્યા છે…

Share

દિનેશભાઇ અડવાણી

અંકલેશ્વર શહેરમાં સૌથી વધારે જો સમસ્યા હોય તો ટ્રાફિકની સમસ્યા છે જ્યારે મુસાફરો માટે ટ્રાફિકની સમસ્યા માથાનો દુખાવો બની રહ્યો છે જેને જોતા અંકલેશ્વર નગરપાલિકા દ્વારા વધતા જતા ટ્રાફિકના લઈને લાખો રૂપિયાના ખર્ચે ટ્રાફિક સિગ્નલ લગાવવામાં આવ્યા હતા.જેમાં અંકલેશ્વર પીરામણ નાકા,ચૌટાનાકા,ભરૂચી નાકા જેવા જાહેર રસ્તા ઉપર સિગ્નલ લગાવવામાં આવ્યા હતા પરંતુ આજદિન સુધી આ ટ્રાફિક સિગ્નલ ને ચાલુ જ કરવામાં આવ્યા નથી.જેથી કરી હાલ પણ અંકલેશ્વર શહેરમાં ટ્રાફિકની સમસ્યા દૂર થઈ નથી જ્યારે અંકલેશ્વર નગરપાલિકાના પ્રમુખને આ ટ્રાફિક સિગ્નલ ક્યારે ચાલુ થશે પૂછવામાં આવ્યું હતું ત્યારે તેમણે જણાવ્યું હતું કે ટૂંક સમયમાં આ ટ્રાફિક સિગ્નલ ચાલુ કરી દેવામાં આવશે પરંતુ આજ દિન સુધી ટ્રાફિક સિગ્નલ ચાલુ કરવામાં આવ્યા જ નથી.જ્યારે વિરોધ પક્ષ પણ આ બાબતે મૌન બેઠો છે તે પણ એક ચર્ચાનો વિષય છે લાખો રૂપિયાના ખર્ચે લગાવવામાં આવેલ ટ્રાફિક સિગ્નલ માં ભ્રષ્ટાચાર થયો હોય એવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે હાલ ટ્રાફીક સિગ્નલને ચાલુ કરવામાં આવશે ખરી કે પછી પક્ષ અને વિપક્ષના ભાઈચારા ને ધ્યાનમાં લઇ આવી જ હાલત રહેશે એતો હવે આવનારો સમય બતાવશે.

Advertisement


Share

Related posts

ગોધરાનો એક વિદ્યાર્થી યુક્રેનમાંથી હેમખેમ પરત ફરી પોતાની આપવીતી જણાવી.

ProudOfGujarat

સિધ્ધાર્થ બંગ્લોઝ ખાતે એક લાખ કરતા વધુની મતાની ચોરી

ProudOfGujarat

રાજકોટમાં એન્જિનિયરિંગમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીનું હાર્ટ-એટેકથી મોત

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!