Proud of Gujarat
FeaturedCrime & scandalGujaratINDIAUncategorized

અંકલેશ્વર નગરમાં ઠેર ઠેર ટ્રાફિકજામની સમસ્યાના પગલે રાહદારીઓ ત્રાહિમામ

Share

એંગલો તૂટીને મેઈન રોડ પર પડતા ટ્રાફિકની સમસ્યા વધુ વકરી

Advertisement

અંકલેશ્વર નગર અને એશિયાની સૌથી મોતી એવી જી.આઈ.ડી.સી ને જોડાતા પ્રતિન ચોકડીથી થઈને જવાતા રસ્તા પર એક બ્રિજ આવેલ છે. આ બ્રિજ પર એન્ગલો લગાવવામાં આવી હતી. આજ રોજ ૧૨ વાગ્યાના અરસામાં એન્ગલો તૂટીને મેઈન રોડ પર પડી જતા ઘણો સમય સુધી ટ્રાફિક જામની સમસ્યા ઉભી થઇ હતી. જો કે નોટીફાઈડ એરિયાના સિક્યુરિટી જવાનોએ અને બીપીએમસી અધિકારીઓએ તરતની કામગીરી કરતા ટ્રાફિક જામ ની સમસ્યા હળવી બની હતી. સાથે એન્ગલો પણ હટાવવામાં આવ્યા હતા.

અંકલેશ્વર ઔધોગિક વિકાસ પામેલ વિસ્તાર છે એટલું જ નહી પરંતુ અંકલેશ્વર નગર અને આજુબાજુના વિસ્તારોમાં અને ખાસ કરીને નોતિફાઈડ જી.આઈ.ડી.સી વિસ્તારમાં સતત વાહબ્નોની અવરજવર રહેતી હોય છે. આવા વિસ્તારોમાં ટ્રાફિક જામના પગલે અનેક સમસ્યાઓ સર્જાય છે.

 


Share

Related posts

ભરૂચ શહેરનાં મહંમદપુરા વિસ્તારમાં સામાજિક અંતરને લઈને લારીવાળાને નહીં ઉભા રાખવાની સુચના બાદ અહીંના આગેવાનોએ જિલ્લા પોલીસ વડા અને કલેકટરને રજૂઆત કરતાં આજે લારીઓ ઉભી રાખવાની મંજૂરી મળી.

ProudOfGujarat

ભરૂચમાં કોંગ્રેસનું શક્તિ પ્રદર્શન, બાઈક રેલી, સભા અને પદયાત્રાનું આયોજન, મોટી સંખ્યામાં આગેવાનો અને કાર્યકરો જોડાયા

ProudOfGujarat

ઝઘડીયાની કંપનીના સિક્યુરિટી ગાર્ડને ત્રણ ઇસમોએ રોકીને માર માર્યો.

ProudOfGujarat
error: Content is protected !!