Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચમાં કોંગ્રેસનું શક્તિ પ્રદર્શન, બાઈક રેલી, સભા અને પદયાત્રાનું આયોજન, મોટી સંખ્યામાં આગેવાનો અને કાર્યકરો જોડાયા

Share

ભરૂચમાં આજરોજ કોંગ્રેસનું શક્તિ પ્રદર્શન જોવા મળ્યું હતું, પ્રદેશ કોંગ્રેસના અધ્યક્ષ શક્તિ સિંહ ગોહિલ, AICC ના પ્રભારી ઉષા નાયડુ અને યુવક કોંગ્રેસના રાષ્ટ્રીય પમુખ નિવાસ બીવી સહિતના આગેવાનોની અધ્યક્ષતામાં વિવિધ કાર્યકમો યોજવામાં આવ્યા હતા, જેમાં પ્રથમ ભરૂચ યુવક કોંગ્રેસ દ્વારા આયોજીત ભારત જોડો બાઈક યાત્રા નર્મદા ચોકડી ખાતેથી નીકળી હતી, જે યાત્રા ઝાડેશ્વર, મકતમપુર, કસક, પાંચબત્તી, શક્તિનાથ થઈ પંડિત ઓમકારનાથ ઠાકુર હોલ ખાતે પહોંચી હતી.

ત્યારબાદ પંડિત ઓમકારનાથ ઠાકુર હોલમાં આયોજીત સભામાં કોંગ્રેસના દિગ્ગજ આગેવાનોએ કાર્યકરો અને હોદ્દેદારોને સંબોધિત કર્યા હતા તેમજ આગામી લોકસભા ચૂંટણીમાં ક્યા ક્યા મુદ્દાઓને ધ્યાનમાં લઈ પ્રજા વચ્ચે જવુ તે અંગેનું માર્ગદર્શન પ્રદેશ અધ્યક્ષ સહિતના કોંગી નેતાઓએ ઉપસ્થિત કાર્યકરોને આપ્યા હતા.

બાદમાં રાજ્ય સરકાર અને સ્થાનિક તંત્ર સામેના વિવિધ મુદ્દાઓને લઈ એક પદયાત્રાનું પણ આયોજન કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યું હતું, જે પદયાત્રા ઓમકારનાથ ઠાકુર હોલથી નીકળી પાંચબત્તીથી શાલીમાર થઈ જિલ્લા કલેકટર કચેરી ખાતે પહોંચશે જે બાદ જિલ્લા કલેકટરને વિવિધ પ્રશ્નો અંગેનું એક આવેદનપત્ર સુપ્રત કરવામાં આવનાર હોવાનું સામે આવ્યું છે.

આ પ્રસંગે ભરૂચ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પરિમલ સિંહ રાણા, પ્રદેશ કોંગ્રેસના મહામંત્રી સંદીપ માંગરોલા, જિલ્લા યુવા કોંગ્રેસ પ્રમુખ શકીલ અક્કુજી, કોંગ્રેસ અગ્રણી શેરખાન પઠાન, પ્રવક્તા નાજુ ફડવાલા, તેમજ શહેર અને જિલ્લા કોંગ્રેસના આગેવાનો હોદ્દેદારો અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement

Share

Related posts

તાજેતરમાં પાટણ જિલ્લામાં સ્વ. ભાનુપ્રસાદ વણકરની આત્મવિલોપનની ઘટના અંગે રાષ્ટ્રીય બહુજન હિત રક્ષક સમિતિ દ્દવારા આવેદનપત્ર પાઠવાયું.

ProudOfGujarat

સુરત જીલ્લાનાં બારડોલી તાલુકા મથકે મૈસુરીયા સમાજની વાડી ખાતે કોવીડ-19 અંતર્ગત રસીકરણનો કાર્યક્રમ વિના મુલ્યે યોજાયો.

ProudOfGujarat

પ્રદુષિત પાણીનો સિલસિલો યથાવત : અંકલેશ્વર જીઆઇડીસી પાસે વરસાદી કાંસમાં ઔદ્યોગિક વસાહત દ્વારા પ્રદૂષિત પાણી છોડાયું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!