Proud of Gujarat
FeaturedCrime & scandalGujaratINDIAUncategorized

ધર પાસે લધુશંકા કરવા ના મુદ્દે ગોળી મારી હત્યા… સારંગપુર ની ધટના..

Share

અંન્કલેશ્વર ના સારંગપુર ની મારૂતિ ધામ મંગલદીપ સોસાયટી મા લધુશંકા બાબતે બે શખ્સો વચ્ચે થયેલા ઝગડા મા એકે ગોળી ધરબી દઇ બીજા નુ ઢીમ ઢાળી દેતા ચકચાર મચી જવા પામી હતી. અંન્કલેશ્વર ના સારંગપુર મા આવેલ પરપ્રાંતીય પરિવારો ધરાવતી મારૂતિ ધામ મંગલ દીપ સોસાયટીમાં રહેતા કિશોર મંડલ સાથે છે લ્લા 3 દિવસ થી મુકેશ મંડલ સાથે મકાન પાસે લધુશંકા કરવાના મુદ્દે ઝગડો ચાલી રહ્યો હતો. જે બાદ બંને વચ્ચે ફરી ઝગડો થતા ઉશ્કેરાયેલા મુકેશે તમંચો કાઢીને 3 રાઉન્ડ ફાયરિંગ કરી કિશોર મંડલ ને લોહીલુહાણ હાલત મા છોડી ફરાર થઈ ગયો હતો. ફાયરિંગ ના પગલે લોકો દોડી આવ્યા હતાં. ધટના ની જાણ થતા જી.આઇ.ડી.સી. પોલીસ નો કાફલો પણ દોડી આવ્યો હતો. અને લોકટોળાં વિખેરી નાખી. મૃતદેહ ને પી.એમ. માટે રવાના કરી હત્યા કરી ફરાર થનાર મુકેશ મંડલ ને ઝડપી પાડવા ની કવાયત હાથ ધરી હતી.

Advertisement

Share

Related posts

નડિયાદનાં કપડવંજમાં વાવાઝોડાના કારણે ઉડેલું પતરૂ એક વ્યક્તિને વાગતા ગંભીર ઈજા પહોંચી

ProudOfGujarat

ભરૂચનાં દહેજ રોડ પર આવેલ કેસરોલ ટોલ બુથનો કર્મી ઉઘરાણીનાં રૂપિયા લઈ ફરાર…

ProudOfGujarat

સુરતની સિવિલ હોસ્પિટલ ફરી વિવાદમાં! સ્ટ્રેચર ન મળતા દર્દીને સગાંએ ઊંચકીને લઈ જવા પડ્યા, લોકોમાં રોષ

ProudOfGujarat
error: Content is protected !!