Proud of Gujarat
FeaturedCrime & scandalGujaratINDIAUncategorized

અંકલેશ્વર ખાતે કેબિન હટાવવા બાબતે થયેલ મારામારીમાં ઈજાગ્રસ્તનું સારવાર દરમ્યાન વડોદરા ખાતે મોત

Share

પોલીસે આરોપીની અટકાયત કરી

અંકલેશ્વરમાં કેબિન હટાવવા બાબતે થયેલ મારામારીમાં ઈજા પામેલ શખ્સનું વડોદરા ખાત્તે સારવાર દરમ્યાન મોત થયું.

Advertisement

અંકલેશ્વર ઓ.એન.જી.સી ઝૂપડપટ્ટીમાં રહેતા સિંગ ભગવાનભાઈ ની સાથે કેબિનની જગ્યા અંગે રણજીત સિંગ, સુજીત સિંગ, ફાટક શાહ તેમજ બાલીસ્ટર સિંગની બોલાચાલી થઇ હતી. ઉગ્ર બોલાચાલી દરમ્યાન ચારેય સિંગ ભગવાનભાઈ પર લોખંડની પાઈપ લઈને તૂટી પડતા માથા અને બરડાના ભાગે ઈજા થઇ હતી.

આ દરમ્યાન ભગવાન સિંગની પત્ની દેવંતિ દેવીએ પોતાના ભાઈને બોલાવતા તેઓએ ઈજાગ્રસ્ત ભગવાન સિંગ ને સારવાર માટે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે લઇ આવ્યા હતા. જ્યાં સારવાર બાદ ઈજા ગંભીર જણાતા વધુ સારવાર માટે વડોદરા ખસેડવામાં આવ્યા હતો.

વડોદરા ખાતે સારવાર દરમ્યાન એક અઠવાડિયા બાદ વહેલી સવારે ભગવાન સિંગનું પ્રાણપંખેરૂ ઉડી જતા તેનું મૃત્યુ થયું હતું.

અંકલેશ્વર સિટી પોલીસે બનાવ સંદર્ભે હત્યાનો ગુનો નોંધી આરોપીઓની ધરપકડ કરી અઆગલાની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

(યોગી પટેલ)


Share

Related posts

વિરમગામ શહેર રાજમાર્ગો પર વીર માંધાતા ના પ્રાગટ્ય દિવસ નિમિત્તે ભવ્ય શોભાયાત્રા નીકળી..

ProudOfGujarat

ઉમરપાડા અને માંગરોળમાં મોંઘવારી, બેરોજગારીનાં વિરોધમાં કોંગ્રેસ દ્વારા પદયાત્રા રેલી યોજાઇ.

ProudOfGujarat

સ્ટ્રોંગ ઇન્ડિયા કી સ્ટ્રોંગ બેટીયાના સૂત્ર સાથે પર્વતારોહણ કરતી વડોદરાની નિશા કુમારી.

ProudOfGujarat
error: Content is protected !!