Proud of Gujarat
FeaturedCrime & scandalGujaratINDIAUncategorized

અંકલેશ્વર ખાતે કેબિન હટાવવા બાબતે થયેલ મારામારીમાં ઈજાગ્રસ્તનું સારવાર દરમ્યાન વડોદરા ખાતે મોત

Share

પોલીસે આરોપીની અટકાયત કરી

અંકલેશ્વરમાં કેબિન હટાવવા બાબતે થયેલ મારામારીમાં ઈજા પામેલ શખ્સનું વડોદરા ખાત્તે સારવાર દરમ્યાન મોત થયું.

Advertisement

અંકલેશ્વર ઓ.એન.જી.સી ઝૂપડપટ્ટીમાં રહેતા સિંગ ભગવાનભાઈ ની સાથે કેબિનની જગ્યા અંગે રણજીત સિંગ, સુજીત સિંગ, ફાટક શાહ તેમજ બાલીસ્ટર સિંગની બોલાચાલી થઇ હતી. ઉગ્ર બોલાચાલી દરમ્યાન ચારેય સિંગ ભગવાનભાઈ પર લોખંડની પાઈપ લઈને તૂટી પડતા માથા અને બરડાના ભાગે ઈજા થઇ હતી.

આ દરમ્યાન ભગવાન સિંગની પત્ની દેવંતિ દેવીએ પોતાના ભાઈને બોલાવતા તેઓએ ઈજાગ્રસ્ત ભગવાન સિંગ ને સારવાર માટે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે લઇ આવ્યા હતા. જ્યાં સારવાર બાદ ઈજા ગંભીર જણાતા વધુ સારવાર માટે વડોદરા ખસેડવામાં આવ્યા હતો.

વડોદરા ખાતે સારવાર દરમ્યાન એક અઠવાડિયા બાદ વહેલી સવારે ભગવાન સિંગનું પ્રાણપંખેરૂ ઉડી જતા તેનું મૃત્યુ થયું હતું.

અંકલેશ્વર સિટી પોલીસે બનાવ સંદર્ભે હત્યાનો ગુનો નોંધી આરોપીઓની ધરપકડ કરી અઆગલાની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

(યોગી પટેલ)


Share

Related posts

સાસરોદ નજીક સ્ક્રેપ ગોડાઉનમાં આગ લાગી.

ProudOfGujarat

ઝઘડીયા તાલુકાની આંગણવાડી બહેનોએ પડતર પ્રશ્નો બાબતે મામલતદારને આવેદન આપ્યુ.

ProudOfGujarat

પંચમહાલ : SMA-1 નામની બિમારીથી ધૈયરાજસિંહને મદદ માટે ધારાસભ્ય અને સાંસદે CM અને PM ને લેખિત રજુઆત કરી.

ProudOfGujarat
error: Content is protected !!