Proud of Gujarat
GujaratFeaturedINDIA

અંકલેશ્વર : ગડખોલ પાટિયા પાસે આવેલ ઝૂંપડપટ્ટી દૂર કરવા રેલ્વે તંત્રની અપીલ : લોકો રસ્તા પર આવતા આપ પાર્ટી મદદે આવી.

Share

આગામી રોજ આપ પાર્ટીના જિલ્લા પ્રમુખને જાણ થઈ હતી કે અંકલેશ્વરના રેલ્વે ફાટક વિસ્તારના ગડખોલ પાટિયા પાસે આવેલ
ઝુંપડપટ્ટીમાં છેલ્લા 25 વર્ષથી વસી રહ્યા છે પરંતુ રેલ્વે પ્રશાસન દ્વારા ઝુંપડપટ્ટીના લોકોને અચાનક નોટિસ ફટકારવામાં આવી હતી અને જેમાં આવતીકાલના રોજ ઝુંપડપટ્ટી તોડવામાં આવશે અન્યથા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

Advertisement


આ નોટિસ દ્વારા, જાણ કરવામાં આવી હતી કે કે તમે કિલોમીટર પાર કર્યું છે. 318/3 થી 318/25 વચ્ચે ગેટ નંબર 173 નજીક અપ લાઇનમાં અલગ અલગ જગ્યાએ અલગ અલગ રીતે અતિક્રમણ કરવામાં આવે છે. આ રેલવે પેન 1989 ની કલમ 147 નું ઉલ્લંઘન છે. 12.09.2021 સુધીમાં રેલવેની હદમાં તમારા દ્વારા કરવામાં આવેલા અનધિકૃત ડેમના કામને તાત્કાલિક દૂર કરીને રેલવેની જમીન ખાલી કરો. ઉપરોક્ત પેન મુજબ કાર્યવાહી કરવામાં આવશે અને તે તમારી સંપૂર્ણ જવાબદારી રહેશે.

જેથી આપ પાર્ટી દ્વારા પ્રશાસન સામે અનેક સવાલો કરવામાં આવ્યા હતા જિલ્લા પ્રમુખ દ્વારા જાણવા મળ્યું હતું કે ગરીબ વર્ગીય લોકોએ આ રીતે નોટિસ ફટકારવી શું યોગ્ય છે…? એક રાતમાં તેઓ કઈ રીતે પોતાનું રહેવાનુ ઠેકાણું શોધી શકશે ..? ચોમાસાની ઋતુ શરૂ છે ત્યારે આવા પરિવારો કેવી રીતે પોતના મતે આશ્રય સ્થળ શોધશે. રેલ્વે અને સરકારને નમ્ર વિનંતી કરવામાં આવી હતી અને જો કોઈ નિરાકરણ નહિ આવે તો આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી.

મુકેશ વસાવા, અંકલેશ્વર


Share

Related posts

પ્રાઉડ ઓફ ગૂજરાતના અહેવાલની અસરથી કોરોનાના માહોલ વચ્ચે ગોધરા નગરપાલિકા તંત્ર દોડતુ થયૂ.જાણો કેમ !

ProudOfGujarat

અભિનેત્રી તમન્ના ભાટિયાની આગામી વેબ સિરીઝ ‘Aakhri Sach’ નું ટ્રેલર રિલીઝ

ProudOfGujarat

સુરતમાં નકલી ડેપ્યુટી કલેક્ટર બનીને ભેજાબાજ મહિલાએ ખેડૂતને જમીન સંપાદનમાં ટેન્ડર ભરાવી 23 લાખ પડાવી લેતા ફરિયાદ, પોલીસે કરી ધરપકડ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!