Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વર : વાલિયા ખાતે આવેલ ગણેશ ગાર્ડન સામે હિટ એન્ડ રનની ઘટના બની

Share

અંકલેશ્વર પંથકમાં દિવસેને દિવસે અકસ્માતના બનાવો ઘણા બની રહ્યા છે ગત રોજ સાંજના સમયે પણ એક આધેડને અડફેટે લઇ વાહન ચાલક ફરાર થઈ જતાં વિસ્તારમાં ચકચાર મચી જવા પામ્યો હતો. ગત રોજ સાંજના સમયે વાલીયા ખાતે આવેલ ગણેશ ગાર્ડની સામે એક અજાણ્યા વાહને એક આધેડને અડફેટે લીધો હતો.

બનાવ અંગે મળતી માહિતી અનુસાર દલસુખભાઈ વેસ્તાભાઈ વસાવા રહે, સિલુડી ચોકડી વાલિયા અંકલેશ્વરનાઓ પગપાળા ચાલીને જઇ રહ્યા હતા ત્યારે એક અજાણ્યા વાહને પાછળથી આવીને તેઓને અડફેટે લીધા હતા અને દલસુખભાઇનું ઘટના સ્થળ પર જ મોત નીપજયું હતું. અડફેટે લેનાર કાર ચાલકે ઊભા રહીને મદદ કરવાની જગ્યા પર તે નાસી ભાગ્યો હતો આસપાસના લોકો દ્વારા રોકવાની કોશીશ કરાતા તે પકડમાં આવ્યો ન હતો અને વિસ્તારમાં ચકચાર મચી જવા પામ્યો હતો.

Advertisement

આ ઘટનાની જાણ વાલિયા પોલીસને થતાં પોલીસનો કાફલો ઘટના સ્થળ પર પહોચી અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને વાહનચાલકની ધરપકડ કરવાની કાર્યવાહી હાથ ધરી હતી. આ બનાવ જાણથી કરેલો છે કે અજાણી રીતે બનેલ છે જે તપાસનો વિષય બન્યો હતો.


Share

Related posts

ઉમરપાડા તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા ખેડૂત બચાવો દેશ બચાવો અભિયાન ગ્રામજનો સાથે સંવાદ કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

રાજપીપલા : નર્મદા પોલીસ અધિક્ષક હિમકર સિંહે હેડ કોન્સ્ટેબલનું કોરોનામાં મોત થતાં સદગતના પરિવારને રૂ.25 લાખનો ચેક અર્પણ કર્યો.

ProudOfGujarat

કેન્દ્રીય મંત્રી મીનાક્ષી લેખીએ કિસાનોને કહ્યાં મવાલી, શરૂ થયો વિવાદ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!