Proud of Gujarat
Crime & scandalGujaratINDIA

અંકલેશ્વરના કોસમડીની સ્વસ્તિક સોસાયટીમાં અગમ્ય કારણોસર યુવાને આત્મહત્યા કરી લીધી હતી જેના મૃતદેહનું સરકારી દવાખાને ફરજ પરના ડોક્ટરે પોસ્ટ મોર્ટમ નહીં કરતા સંબંધીઓએ રોષ વ્યક્ત કર્યો હતો

Share

પ્રાપ્ત માહિતી અનુસાર મૂળ દેડિયાપાડાના ભીલ ભવલી અને હાલ અંકલેશ્વરના કોસમડી ગામ નજીક આવેલ સ્તિક પાર્ક સોસાયટીમાં રહેતા 36 વર્ષીય વીરેન્દ્ર દિલીપસિંહ વલવીએ ગત રોજ સાંજના સમયે પોતાના ઘરમાં અગમ્ય કારણોસર આત્મહત્યા કરી લીધી હતી જે અંગે પોલીસને જાણ કરતા પોલીસ કાફલો સ્થળ પર દોડી આવી મૃતકના મૃતદેહને પોસ્ટ મોર્ટમ અર્થે અંકલેશ્વર નગર પાલિકા સંચાલિત સરકારી દવાખાને ખસેડ્યો હતો જ્યાં ફરજ પરના ડોક્ટર ઉમાશંકરે પીએમ કરવાની સ્પષ્ટ ના કહી દેતા મૃતકના સંબંધીઓ રોષે ભરાયા હતા જે બાદ હોસ્પિટલના સત્તાધીશોએ અન્ય ડોક્ટરને બોલાવી પીએમ કરાવ્યું હતું આ સરકારી દવાખાને વારંવાર મૃતદેહના પીએમ મામલે અનેક કિસ્સાઓ પ્રકાશમાં આવ્યા છે ત્યારે તંત્ર મૃતદેહના પીએમ માટે અલાયદી સુવિધા ઉભી કરે તે અત્યંત જરૂરી છે.

Advertisement

Share

Related posts

આંધ્રપ્રદેશ : કન્યાક પરમેશ્વરી મંદિરને કરોડો રૂપિયાની નોટોથી શણગારવામાં આવ્યો માતાનો દરબાર

ProudOfGujarat

ઉત્તરસંડામાં ભાડાના મકાનમાં વિદેશી દારૂ રાખી ધંધો કરતા બે ઇસમોને પોલીસે ઝડપી પાડયા

ProudOfGujarat

ભરૂચનાં શેરપુરામાં બે લકઝરી બસ સળગાવી, તોડફોડ અને લૂંટ મામલે AIMIM પ્રમુખ સહિત 8 ની ધરપકડ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!