Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વર શ્રીજીવીલા રેસિડેન્સીમાં ચોર ત્રાટક્યાં.

Share

અંકલેશ્વર શહેરમાં શ્રીજીવીલા રેસિડેન્સી આદિત્ય નગર ભડકોદ્રાના મકાન નં. સી-61 માં રાજેશકુમાર જગતનારાયણ પાઠકના ઘરે તા.08/09/19 ના રોજ તાળું તોડીને તસ્કરોએ હાથ ફેરો કર્યો હતો. જેમાં સોનાનો માંગ ચાંદલો, સોનાની ચેન, સોનાની બંગડી વિગેરે જણસો સહિત તિજોરીમાં મૂકેલા રૂ. 45,400 મળી કુલ રૂ.3,66,900/- નું લૂંટ કરી ખળભળાટ મચાવી દીધો છે.
બનાવની વિગત અનુસાર તા.08/09/19 ના રોજ 3 થી 9 કલાક દરમ્યાન લૂંટારાઓ મકાનનું તાળું તોડી ચોરી કરી જતાં આ વિસ્તારના લોકોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે. વળી, પોલીસ માટે પણ આ ધટના પડકારરૂપ બની છે અને ચોરો બેફામ બની સમીસાંજ જેવાં સમયે બિન્દાસ્તપણે ચોરી કરી જાય તે ધટના અંકલેશ્વર પોલીસ માટે ચિંતાનો વિષય બની ગયો છે. ધટના અંગેની ફરિયાદ રાજેશકુમાર જગતનારાયણ પાઠકે કરતાં પોલીસે ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement

Share

Related posts

ભરૂચ શહેરમાં ચેઇન સ્નેચિંગના અનેક ગુનાઓને અંજામ આપનાર ગઠીયો અંતે ભરૂચ એ. ડિવિઝન પોલીસે ઝડપી પાડયો હતો.

ProudOfGujarat

ઝાડેશ્વરના નીલકંઠેશ્વર મહાદેવ મંદિરના નર્મદા ઘાટ પર 700થી વધુ કાવડિયાઓનું આગમન, ખરાબ રસ્તાને લઈ ભારે નારાજગી

ProudOfGujarat

ભરૂચ જીલ્લામાં દરેક બેન્કોની જીલ્લા સ્તરીય સમીક્ષા સમિતિની બેઠક મળી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!