Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વર શ્રીજીવીલા રેસિડેન્સીમાં ચોર ત્રાટક્યાં.

Share

અંકલેશ્વર શહેરમાં શ્રીજીવીલા રેસિડેન્સી આદિત્ય નગર ભડકોદ્રાના મકાન નં. સી-61 માં રાજેશકુમાર જગતનારાયણ પાઠકના ઘરે તા.08/09/19 ના રોજ તાળું તોડીને તસ્કરોએ હાથ ફેરો કર્યો હતો. જેમાં સોનાનો માંગ ચાંદલો, સોનાની ચેન, સોનાની બંગડી વિગેરે જણસો સહિત તિજોરીમાં મૂકેલા રૂ. 45,400 મળી કુલ રૂ.3,66,900/- નું લૂંટ કરી ખળભળાટ મચાવી દીધો છે.
બનાવની વિગત અનુસાર તા.08/09/19 ના રોજ 3 થી 9 કલાક દરમ્યાન લૂંટારાઓ મકાનનું તાળું તોડી ચોરી કરી જતાં આ વિસ્તારના લોકોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે. વળી, પોલીસ માટે પણ આ ધટના પડકારરૂપ બની છે અને ચોરો બેફામ બની સમીસાંજ જેવાં સમયે બિન્દાસ્તપણે ચોરી કરી જાય તે ધટના અંકલેશ્વર પોલીસ માટે ચિંતાનો વિષય બની ગયો છે. ધટના અંગેની ફરિયાદ રાજેશકુમાર જગતનારાયણ પાઠકે કરતાં પોલીસે ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement

Share

Related posts

નર્મદા પોલીસે છેલ્લા ૬ મહિનામાં ઈ-મેમો દ્વારા વાહન ચાલકોને ૬ લાખથી વધુનો દંડ ફટકાર્યો.

ProudOfGujarat

ઉમરપાડાના વાડી ગામે ટીટોડીએ જમીન તરફી ટોચ રાખતા ઈંડા મુકતા ચારેબાજુ કુતુહલ સર્જાયું.

ProudOfGujarat

ગુજરાતમાં ફરી એક વાર ભુપેન્દ્ર પટેલ લેશે સીએમ પદની શપથ, કોંગ્રેસના સપના ચકના ચુર વિપક્ષનું પદ પણ નહિ મળે તેવી સ્થિતિ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!