Proud of Gujarat
INDIAFeaturedGujarat

ભરૂચનાં ભોલાવ ખાતે આવેલ અવધૂત સોસાયટીમાં સોમનાથ મહાદેવ મંદિરે વેકસીનેશન કેમ્પ શરૂ કરાયો.

Share

સમગ્ર દેશમાં વેકસીનેશન કાર્યક્રમને વધુ ઝડપી બનાવવા માટે આરોગ્ય વિભાગે કમર કસી છે. ગુજરાતમાં પણ વેકસીનેશન કાર્યક્રમો ઝડપી થાય તે માટે તમામ જિલ્લાઓમાં આરોગ્ય વિભાગની ટીમો 45 વર્ષથી વધુ ઉંમરનાં લોકોને વેકસીન આપવાની શરૂઆત કરી છે. ઠેર ઠેર વેકસીનેશન કેન્દ્ર શરૂ કરી તમામ નાગરિકો કોરોના કવચ મેળવે તે માટેની શરૂઆત કરવામાં આવી છે.

ભરૂચના અવધૂત સોસાયટીમાં આવેલ સોમનાથ મહાદેવ મંદિરમાં પણ આજથી 45 વર્ષથી વધુ ઉંમરના લોકોનો વેકસીનેશન કેમ્પ શરૂ કરવામાં આવેલ છે. ત્યારે અહીં આજરોજ ભરૂચ ભારતીય જનતા પાર્ટીના જિલ્લા પ્રમુખ મારુતિસિંહ અટોદરિયાએ અને ભોલાવ જિલ્લા પંચાયત સભ્ય ધર્મેશભાઈ મિસ્ત્રીએ કોરોના કવચ મેળવી અને પ્રજાને અપીલ કરી હતી કે, વેકસીન એકદમ સુરક્ષિત છે અને ભાજપાના કાર્યકરો દ્વારા આ જેમ ચૂંટણીમાં મતદાન કરાવવા માટે મતદારોને લેવા મુકવાની સુવિધાઓ કરવામાં આવે છે તે જ રીતે રસીકરણ માટે પણ ભરૂચ જિલ્લા ભારતીય જનતાપાર્ટી દ્વારા તમામ સુવિધાઓ પૂરી પાડવામાં આવી રહી છે જેથી કોઈપણ ભરૂચ જિલ્લાનો નાગરિક કોરોનાની રસી મૂકાવ્યા વિના ન રહે.

Advertisement

Share

Related posts

અતિ બિસ્માર બનેલા પાલેજ – નારેશ્વર માર્ગના સમાચાર અખબારોમાં પ્રસિદ્ધ થતા તંત્ર દ્વારા સમારકામ હાથ ધરાયું.

ProudOfGujarat

ભરૂચ : ભોલાવ વિસ્તારમાં આવેલ આકાશ ગંગા સોસાયટીમાં 2 શખ્સોએ ચપ્પુની નોક પર 30 તોલા સોનુ અને નાણાંની લૂંટ કરી.

ProudOfGujarat

થોડા દિવસ પૂર્વે કહ્યું કે તારીખ ૨૦ જાન્યુઆરીથી બેંક માં ચાર્જ લાગશે હવે સરકાર કહે છે કે કોઈ પણ ચાર્જ નહિ લાગે. હકીકત શું ???

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!