Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વર : અંદાડા ગામમાં આવેલ હેપ્પી રેસીડેન્સીમાં તસ્કરોએ બંધ મકાનને નિશાન બનાવ્યું.

Share

અંકલેશ્વર પંથકમાં ચોરીના બનાવો ઘણા વધી રહ્યા છે. કોરોનાની બીજી લહેર બાદ લોકો જાણે કામ ધંધો નેવે મૂકી અને અવરે રસ્તે ચડી રહ્યા છે. અંકલેશ્વર શહેરમાં છેલ્લા એક મહિનામાં ઘણા ચોરીના બનાવ બની રહ્યા છે અને અંદાડા ખાતે બનેલ ચોરીની ઘટનામાં બંધ મકાનમાં ચોરો કરી તસ્કરો ફરાર થઇ ગયા હતા.

અંકલેશ્વર શહેરના અંદાડા ગામમાં આવેલ હેપ્પી રેસેડેન્સીમાં સરમનભાઈ હોરીલાલ પ્રજાપતિના મકાનમાં ચોરી થઈ હતી. તેઓ કોઈ અંગત કામ અર્થે પોતાના ગામ ગયા હોય અને ગત તારીખ 19 મી જુલાઇથી તા. 30 મી જુલાઈના રોજ સવારના કોઈપણ સમયે ચોરે ફરિયાદીના બંધ ઘરના લોખંડની જાળીવાળા દરવાજાનો નકૂચો તોડી ઘરમાં ઘુસ્યાં હતા.

Advertisement

જેમાં ફરીયાદીના ઘરની તિજોરીમાં મુકેલ સોના- ચાંદીના દાગીના કિં.રૂ.35,270/- તેમજ રોકડ રૂપિયા 13,000/- ની લૂંટ મચાવી હતી. જે અંગે ફરીયાદીએ અંકલેશ્વર શહેર પોલીસમાં ગુનો નોંધાવી અને તે વિસ્તારમાં ખાસ પેટ્રોલિંગ કરવાનું જણાવવામાં આવ્યું હતું.

મુકેશ વસાવા : અંકલેશ્વર


Share

Related posts

જિલ્લા પંચાયત જામનગર દ્વારા વર્ષ ૨૦૨૪-૨૫ ની મેજડાયરી/કેલેન્ડર પ્રકાશિત કરાશે

ProudOfGujarat

ભરૂચ જિલ્લા પોલીસ નાગરિકો માટે હવે નિભાવશે નાયકની ભૂમિકા- ફરિયાદો, સૂચનો અને અભિપ્રાયો માટે પ્રારંભિક 5 સ્થળોએ લેટર બોક્સ મુકાયા.

ProudOfGujarat

ભરુચ : વાગરા તાલુકાનાં અખોડ ગામની સીમમાં ત્રણ વ્યક્તિઓના મોતથી ખળભળાટ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!