Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વર : અંદાડા ગામમાં આવેલ હેપ્પી રેસીડેન્સીમાં તસ્કરોએ બંધ મકાનને નિશાન બનાવ્યું.

Share

અંકલેશ્વર પંથકમાં ચોરીના બનાવો ઘણા વધી રહ્યા છે. કોરોનાની બીજી લહેર બાદ લોકો જાણે કામ ધંધો નેવે મૂકી અને અવરે રસ્તે ચડી રહ્યા છે. અંકલેશ્વર શહેરમાં છેલ્લા એક મહિનામાં ઘણા ચોરીના બનાવ બની રહ્યા છે અને અંદાડા ખાતે બનેલ ચોરીની ઘટનામાં બંધ મકાનમાં ચોરો કરી તસ્કરો ફરાર થઇ ગયા હતા.

અંકલેશ્વર શહેરના અંદાડા ગામમાં આવેલ હેપ્પી રેસેડેન્સીમાં સરમનભાઈ હોરીલાલ પ્રજાપતિના મકાનમાં ચોરી થઈ હતી. તેઓ કોઈ અંગત કામ અર્થે પોતાના ગામ ગયા હોય અને ગત તારીખ 19 મી જુલાઇથી તા. 30 મી જુલાઈના રોજ સવારના કોઈપણ સમયે ચોરે ફરિયાદીના બંધ ઘરના લોખંડની જાળીવાળા દરવાજાનો નકૂચો તોડી ઘરમાં ઘુસ્યાં હતા.

Advertisement

જેમાં ફરીયાદીના ઘરની તિજોરીમાં મુકેલ સોના- ચાંદીના દાગીના કિં.રૂ.35,270/- તેમજ રોકડ રૂપિયા 13,000/- ની લૂંટ મચાવી હતી. જે અંગે ફરીયાદીએ અંકલેશ્વર શહેર પોલીસમાં ગુનો નોંધાવી અને તે વિસ્તારમાં ખાસ પેટ્રોલિંગ કરવાનું જણાવવામાં આવ્યું હતું.

મુકેશ વસાવા : અંકલેશ્વર


Share

Related posts

ગુજરાતમાં વિધાનસભાના અધ્યક્ષ તરીકે નીમાબેન આચાર્યના નામ જાહેર : જેઠા ભરવાડ વિધાનસભાના ઉપાધ્યક્ષ બનશે

ProudOfGujarat

પાલેજમાં કોમીએખલાસ વચ્ચે પીર મોટામિયાં સમાધિ પર સંદલ વિધિ સંપન્ન કરાઈ.

ProudOfGujarat

ભરૂચ : પાંચ દિવસ પહેલા ગુમ થયેલ બાળકને વાલિયા પોલીસે શોધીને પરિવારને સોંપ્યો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!