Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વર જીઆઇડીસી નોટિફાઈડ એરિયામાં લારી-ગલ્લાઓ હટાવવામાં આવતાં ગરીબોની રોજગારી છીનવાઇ.

Share

અંકલેશ્વર કામદાર સમાજના આગેવાન દ્વારા અધિકારીઓને પગ પડવા છતાં પણ કડકાઈથી લારી-ગલ્લા હટાવવામાં આવ્યા હતા. અંકલેશ્વર જી.આઈ.ડી.સી. નોટિફાઈડ એરિયામાં તમામ લારી અને ગલ્લાઓ હટાવવામાં આવી રહ્યા છે તેનો વિરોધ કરવામાં આવ્યો હતો.

વિરોધ કરનારા દ્વારા જાણવામાં આવ્યું હતું કે, જ્યારે આપણે કોઈને રોજગારી નથી આપી શકતા ત્યારે કોઈની રોજગારી છીનવી એ ઘણી નિંદનીય વાત છે. લારી ગલ્લાથી રોજના 100 થી 200 કામનાર વ્યક્તિ કે જેનું ગુજરાન ચાલવાનું સાધન એકમાત્ર ગલ્લો જ હોય તેવા ગરીબ વર્ગીય લોકોનું શું…? પરંતુ સરકાર દ્વારા ઉધોગપતિઓનું માન રાખી અને વાત માનવામાં આવે છે અને તેવામાં ગરીબોનું શોષણ થતું દેખાઈ રહ્યું છે.

તેઓએ વધુમાં જણાવ્યુ હતું કે, જયારે જી.આઈ.ડી.સી.ના ગલ્લાઓ હતી શકે તો કંપનીમાં આવેલ રેસીડન્સી શા માટે હટાવવામાં આવતી નથી..? જયરે પાર્કિંગ કંપનીની અંદર હોવું જોઈએ ત્યારે તેઓનું પાર્કિંગ કંપનીની બહાર રાખવામા આવે છે જેને કારણે રોજ આવનજાવન કરતાં લોકોને હાલાકી થાય છે તે કેમ હટાવમાં આવી રહ્યા નથી ..? જેથી નોટિફાઈડ એરિયાના અધિકારીઓએ સહિત જેઓ આ ગલ્લાઓ હટાવી રહ્યા છે તેઓને હાથ જોડી વિનંતી કરવામાં આવી હતી.

Advertisement

મુકેશ વસાવા : અંકલેશ્વર


Share

Related posts

સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ મંદિર ચાર દિવસ બંધ રહેશે…!! જાણો ક્યારે.

ProudOfGujarat

અંકલેશ્વર ખાતે ‘ઉજ્જવલ ભારત, ઉજ્જવલ ભવિષ્ય” વિજળી મહોત્સવ યોજાયો.

ProudOfGujarat

ભરૂચ ખાતે મંત્રી દિલીપકુમાર ઠાકોરના અધ્યક્ષસ્થાને ૭૨ મો વન મહોત્સવ યોજાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!