Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વર શહેર પોલીસ મથકે શ્રાવણ માસ અનુલક્ષીને કોરોનાથી લોકોને મુક્તિ મળે તે માટે કથાનું આયોજન કરાયું.

Share

અંકલેશ્વર શહેર પોલીસ મથકે શ્રાવણ માસ પૂર્ણ થવાને અંતે છે ત્યારે કોરોના મહામારીથી લોકોને મુક્તિ મળે અને જેઓએ પોતાના સ્વજનો ગુમાવ્યા છે તે લોકોની યાદમાં કથાનું આયોજન કરવામાં આવ્યું હતું. ભગવાન સત્યનારાયણની કથા યોજી કાયદો અને વ્યવસ્થા જળવાઈ તેમજ ભાઈચારાની લાગણી સાથે કોરોના મહામારીથી લોકો મુક્તિ મળે તેવી પ્રાર્થના કરી હતી. અંકલેશ્વર શહેર પોલીસ મથક ખાતે પી.આઈ. વિક્રમ રબારીના માર્ગદર્શન હેઠળ શ્રાવણ માસ અનુલક્ષીને પૂજાનું આયોજન કરવામાં આવ્યું હતું.

પોલીસ મથક ખાતે ભગવાન સત્યનારાયણની પૂજા યોજવામાં આવી હતી જેને કારણે લોકોના મનમાં પવિત્રતા જળવાઈ અને વાતાવરણમાં શુદ્ધિ રહે તે માટે ખાસ આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાતી કેલેન્ડર પ્રમાણે શ્રાવણ માસને ઘણો પવિત્ર માનવામાં આવે છે જેમાં પોલીસ પરિવાર પૂજા વિધિમાં જોડાયા હતા. તો પોલીસ સ્ટાફ પણ પૂજામાં જોડાયો હતો. પોલીસ મથક વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ, ભાઈચારાની લાગણી સાથે કોરોના મહામારીથી લોકોને મુક્તિ મળે તેવી પ્રાર્થના કરવામાં આવી હતી.

મુકેશ વસાવા : અંકલેશ્વર

Advertisement

Share

Related posts

આ મધર્સ ડે એ માતૃત્વની ઉજવણી – આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડ સર્વશ્રેષ્ઠ સુરક્ષા કવચ બનતી દરેક માતાના માતૃત્વની ઉજવણી કરવા માટે સમય કાઢે છે !

ProudOfGujarat

નડિયાદ-કપડવંજ રોડ પર લક્ઝરી બસ 15 ફુટ ઊંડા ખાડામાં ખાબકી.

ProudOfGujarat

વડતાલ તળાવમાં ન્હાવા પડેલા ત્રણ વિધાર્થીઓ ડૂબી જવાથી મોત નિપજ્યાં

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!