Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વર નગરપાલિકાના પ્રમુખ વિનય વસાવાના માર્ગદર્શન હેઠળ સફાઈ અભિયાન હાથ ધરાયું.

Share

ગતરોજ ગુલાબ વાવઝોડાને પગલે ભરૂચ અને અંકલેશ્વર પંથકમાં દહેશત મચી જવા પામી હતી, ઠેર ઠેર પાણી ભરાયા હતા જેથી લોકોને આર્થિક રીતે નુકશાન પહોચ્યું છે. ત્યારે ગતરોજ પણ અંકલેશ્વર નગરપાલિકાનાં પ્રમુખ વિનય વસાવા દ્વારા લોકોને મદદ કરવામાં આવી હતી. ગતરોજ સંજય નગર વિસ્તારમાં થયેલ પૂર જેવી સમસ્યા માટે વિનય વસાવા દ્વારા ફૂડ વિતરણ કરવામાં આવ્યું હતું.

આજરોજ ગુલાબ અને શાહીન વાવઝોડું ફંટાઇ જતાં અંકલેશ્વર ભરૂચ પરથી પૂરથી ગંભીર સ્થિતિનું સંકટ ટળી ગયું છે ત્યારે કેટલાક તાત્કાલિક એક્શન પ્લાન સાથે નગરપાલિકા પ્રમુખ દ્વારા કેટલીક કામગીરી હાથ ધરવામાં આવી છે. કર્મચારી મહિડા સાહેબની પ્રશંસનીય કામગીરી ગણતરીના કલાકોમાં અંકલેશ્વરના સંજય નગર વિસ્તારમાં વરસાદી પાણી જે ભરાયા હતા તે ગણતરીના કલાકોમાં પાણીનો નિકાલ લાવી સાફ-સફાઈ કરવામાં આવી હતી.

જે બાદ આજે વાતાવરણમાં તાપ દેખાતા વિસ્તારોને સાફ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. રેલ વિસ્તારમાં પાણી ઉતર્યા બાદ આજરોજ પાવડર છંટકાવ કામગીરી શરૂ કરાવી દેવામાં આવી હતી. રઘુવીર નગર સોસાયટી, શ્રીનાથ પાર્ક સોસાયટી અને ટેલિફોન એક્ષેન્જ સામેનો વિસ્તાર તેમજ હરિકૃપા સોસાયટીમાં પણ પાવડર છંટકાવની કામગીરી હાથ ધરવામાં આવી છે. જેથી બીમારીઓથી અંકલેશ્વર પંથક સુરક્ષિત રહી શકે.

મુકેશ વસાવા : અંકલેશ્વર

Advertisement

Share

Related posts

છોટાઉદેપુર જિલ્લા આપ પાર્ટીના પ્રમુખ તરીકેની જવાબદારી રાધિકા રાઠવાને સોંપાઇ

ProudOfGujarat

વાંકલ : કોસાડી,મોસાલી વેલફેર ટ્રસ્ટ સંચાલિત ફારૂકભાઇ ભીખુભાઈ મેમોરિયલ ટ્રસ્ટ દ્વારા એમ્બ્યુલન્સ સેવા શરૂ કરવામાં આવી.

ProudOfGujarat

ગોંડલના લોકમેળામાં એક યુવક રાઈડ પરથી પટકાયો, રાઈડ ચાલુ હતી તે દરમિયાન બની ઘટના.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!