Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ કોંગ્રેસમાં કભી ખુશી કભી ગમનો માહોલ : શહેર કોંગ્રેસના મંત્રી પદ પરથી એડવોકેટ સરફરાજ શેખે આપ્યું રાજીનામું.

Share

એક તરફ વિધાનસભા ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે કોંગ્રેસ પક્ષમાં કભી ખુશી કભી ગમનો માહોલ સર્જાઈ રહ્યો છે. એક તરફ કેટલાક લોકો વિરોધી પક્ષને તરછોડી અને કોંગ્રેસમાં પ્રવેશી રહ્યા છે ત્યારે બીજી તરફ ભરૂચ શહેર કોંગ્રેસના મંત્રી પદ પરથી એડવોકેટ સરફરાજ શેખના રાજીનામાંથી ભરૂચ શહેર કોંગ્રેસમાં ભૂકંપ આવી ગયો હોવાની ભીતિ સર્જાઈ રહી છે.

આજરોજ ભરૂચ તાલુકા કોંગ્રેસ સમિતિમાં 50 થી વધુ લોકો જોડાયા હતા. ભરૂચ તાલુકા અને ભરૂચ શહેરની પેટાચૂંટણી દરમિયાન ભારતીય જનતા પાર્ટીમાથી છેડો ફાડીને મહત્વના લોકો આજે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસણી વિચારધારા સાથે કોંગ્રેસમાં પ્રવેશ કર્યો છે. ત્યારે બીજી તરફ શહેર કોંગ્રેસના મંત્રી પદ પરથી એડવોકેટ સરફરાજ શેખે રાજીનામું આપ્યું કોંગ્રેસ પક્ષના મનમાં ઊભા થઈ રહ્યા છે.

Advertisement

એડવોકેટ સરફરાજ શેખે રાજીનામું આપ્યા બાદ કોંગ્રેસ પક્ષનો આભાર માન્યો હતો અને જણાવ્યુ હતું કે હું આભાર માનું છું કે પક્ષ દ્વારા મને માતૃ પદ તરીકેની કામગીરી સોંપવામાં આવી અને ભરૂચની જનતા માટે ઘણું કામ કર્યું છે અને આવનારા સમયમાં પક્ષ સાથે રહીને વોર્ડ નંબર 10 અને સમગ્ર ભરૂચના પ્રશ્નોનાં હલ માટે પક્ષનો સાથ આપશે.


Share

Related posts

તિલકવાડા તાલુકાનાં નાનાવોરા ગામે 24 વર્ષનાં યુવાનની આત્મહત્યા.

ProudOfGujarat

પંચમહાલ : રેશનિંગની કુલ 476 દુકાનો પરથી પાત્રતા ધરાવતી 96.84 ટકા વસ્તીને વિનામૂલ્યે રાશનનું વિતરણ કરાયું.

ProudOfGujarat

વીર જવાન પાયલોટ અભિનંદનના ગૌરવવંતા પરાક્રમોની ગાથા જાણો… કેવી રીતે અને ક્યાં શું થયું હતું ?

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!