Proud of Gujarat
GujaratFeaturedINDIA

અંકલેશ્વર : જાડી ચામડીના ઉદ્યોગપતિઓ દ્વારા આમલાખાડીમાં દૂષિત પાણી છોડવાની પ્રક્રિયા યથાવત : જીપીસીબી ના મેમ્બર સેક્રેટરી પર્યાવરણને થતા નુકશાનને રોકવામાં નિષ્ફળ.

Share

અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાંથી દુર્ગંધવાળા પ્રદુષિત પાણીનું આમલાખાડીમાં નિકાલ આજે પણ એ જ રીતે થઈ રહ્યું છે. ગઈકાલે ગાંધીનગરથી જીપીસીબી ના મેમ્બર સેક્રેટરી એ.વી. શાહ સાહેબ અંકલેશ્વરની મુલાકાતે આવ્યા હતા એમને અહીંયાની પરિસ્થિતિની માહિતી મેળવી જરૂરી દિશા નિર્દેશો આપ્યા હતા જોકે એનું અમલ કેટલું થયું એનો જવાબ હાલની પરિસ્થિતિ પોતે આપી રહી છે !!!

પ્રકૃતિ સુરક્ષા મંડળના સલીમ પટેલે જણાવ્યું હતું કે “NCT દ્વારા NCT માં ફ્લો વધારે થઈ જવાથી સ્ટોરેજ પોન્ડમાં પણ જગ્યા ના હોવાથી પ્રદુષિત એકમને પ્રદુષિત પાણી નહિ મોકલવાની સૂચનાઓ આપવામાં આવી હતી. ઔદ્યોગિક એકમોએ હાલ પ્રદૂષિત પાણી પોતાના એકમોના સ્ટોરેજ કરવાની સુચનો આપવામાં આવી હતી. પરંતુ કેટલાક બેજવાબદાર એકમો આવી સૂચનાઓનું અમલ કરતા નથી અને તેમના દ્વારા ગેરકાયદેસર નિકાલ કરી આપવામાં આવે છે. આવા એકમોને શોધવામાં અને દંડીત કરવામાં તંત્રના અધિકારીઓ નિષ્ફળ ગયા છે.”

આજની પરિસ્થિતિ બાબતે પ્રકૃતિ સુરક્ષા મંડળ દ્વારા એક ફરજના ભાગરૂપે જવાબદારોને સોશિયલ મીડિયા માધ્યમથી જાણકારી આપી છે. જવાબદારોની ફરજ મોનીટરીંગ કરવાની અને પ્રદૂષણ રોકવાની છે. જીપીસીબી, NCT અને નોટિફાઇડ અધિકારીઓ પર્યાવરણને થતા નુકશાનને રોકવામાં નિષ્ફળ ગયા છે. ફરિયાદ થાય પછી રિપોર્ટ બનાવવાની એક વિધિ પુરી કરવામાં આવે છે એ યોગ્ય નથી. આ અપૂરતી કાર્યવાહી છે.

મુકેશ વસાવા : અંકલેશ્વર

Advertisement

Share

Related posts

આજે અખાત્રીજનાં દિવસે ગુજરાતના ખેડૂતો માટે રાહતના સમાચાર : નર્મદા ડેમમાંથી કેનાલ મારફતે પાણી છોડવામાં આવ્યું.

ProudOfGujarat

સુરતમાં પત્ની અને તેણીના પ્રેમીને ઘરે બોલાવી પતિએ હિંસક હુમલો કર્યો.

ProudOfGujarat

દિલ્લી પોલીસે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલનાં નિવાસ સ્થાને દરોડા પાડ્યા જેના વિરોધમાં આમ આદમી પાર્ટી દ્વારા ભરૂચ જીલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવામાં આવ્યું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!