Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વર : ત્રણ રસ્તા સર્કલ પાસે બજરંગ દળ અને વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા પાકિસ્તાનના આતંકવાદ પુતળા દહનનો કાર્યક્રમ કરાયો.

Share

પાકિસ્તાનમાં હિન્દુને થર કરી દેવામાં આવી રહ્યા છે તેમજ કાશ્મીરમાં થઇ રહેલા આતંકવાદ સામે સમગ્ર દેશમાં બજરંગ દળ અને વિશ્વ હિન્દુ પરિષદ ઝઝૂમી રહ્યું છે અને સમગ્ર દેશ સહીત અંકલેશ્વર પંથકમાં પાકિસ્તાનના આતંકવાદ અને પી.એમ ઇમરાન ખાનના પુતળાનો દહન કરવામાં આવ્યો હતો. છેલ્લા ઘણા સમયથી પાકિસ્તાનમાં વસી રહેલા હિન્દુઓને કોઈક કારણોસર ઠાર કરવામાં આવી રહ્યા છે. જયારે બે દેશ વચ્ચેની લડતમાં માસુમ લોકોનો શું વાંક ?

ગતરોજ પણ આતંકવાદીઓએ કાશ્મીરની એક શાળામાં હુમલો કર્યો હતો અને તેના પ્રિન્સીપાલ અને એક શિક્ષિકની હત્યા કરી હતી જેથી કાશ્મીરને હડપવાની પ્રક્રિયામાં લોકોના મોત નીપજી રહ્યા છે જે બદલ સમગ્ર દેશમાં બજરંગ દળ અને વિશ્વ હિન્દુ પરિષદમાં આક્રોશ ફેલાયો હતો જેથી અંકલેશ્વર ત્રણ રસ્તા સર્કલ પાસે બજરંગ દળ અને વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા પાકિસ્તાનના આતંકવાદ પુતળા દહનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.

મુકેશ વસાવા : અંકલેશ્વર

Advertisement

Share

Related posts

અંકલેશ્વરની હિમાની ઇન્ડસ્ટ્રીઝ કંપનીમાં બે દિવસ પહેલા લાગેલી આગમાં વધુ એક કામદારનું સારવાર દરમ્યાન મોત નીપજયું.

ProudOfGujarat

જમીયત ઉલેમા-એ-હિંદની રાષ્ટ્રીય વ્યવસ્થાપક સમિતિનું અધિવેશન દેવબંદમા યોજાશે.

ProudOfGujarat

સુરતના મિકેનીકલ વિદ્યાર્થીઓનો વર્લ્‍ડ રેકોર્ડ, બનાવ્યો માત્ર 1800 રૂપિયામાં 29 ગ્રામનો સેટેલાઈટ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!