Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વર : જી.ઇ.બી. દ્વારા ખોદેલા ખાડામાં ગાયનું વાછરડું પડતા મોત : જી.ઇ.બી ની બેદરકારીથી સ્થાનિકોએ રોષ વ્યકત કર્યો.

Share

અંકલેશ્વરના રાજપીપળા ચોકડી નજીક જી.ઈ.બી દ્વારા ખોદવામાં આવેલ ખાડામાં ગાય પડી જતા ગાયનું મોત નીપજ્યું હતું. આ ઘટનાની જાણ થતાં જી.ઇ.બી ની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. ખાડાઓના પગલે નજીકમાં રમતા બાળકો માટે પણ જોખમ હોવાનો સ્થાનિકોએ આક્ષેપ કર્યા હતા.

અંકલેશ્વર નમક ફેકટરીની પાછળના ભાગમાં જી.ઇ.બી દ્વારા ખોદેલા ખાડામાં એક ગાયનું વાછરડું પડી જવાથી તેનું મોત થયું હતું. સ્થાનિક લોકોનું કહેવું છે આ વાછરડું જી.ઇ.બી ની બેદરકારીનાં કારણે મરી ગયું છે. સ્થાનિક લોકોએ મીડિયા સમક્ષ રોષ વ્યક્ત કરી જણાવ્યું કે આજે ગાયનું વાછરડું મરી ગયું છે કાલે કોઈ નાનું બાળક ખાડામાં પડીને મરી જાય તો એની જવાબદારી કોની જી.ઇ.બી નાં કર્મચારીઓ આ ખાડાનું ક્યારે કામ પૂર્ણ કરશે હજુ સુધી એમણે કંઈ જણાવ્યું નથી. બનાવ અંગે જી.ઇ.બી ના કર્મચારીઓને જાણ થતા તેઓ ઘટના સ્થળ ઉપર દોડી આવ્યા હતા.

મુકેશ વસાવા : અંકલેશ્વર

Advertisement

Share

Related posts

ભરૂચમાં માલધારી સમાજ દ્વારા વિવિધ પડતર પ્રશ્નોને લઈ નર્મદા નદીમાં દૂધનો અભિષેક કરી વિરોધ નોંધાવ્યો.

ProudOfGujarat

રાજપીપળા : જિલ્લા વિકાસ અધિકારીના હસ્તે આરોગ્ય ક્ષેત્રમાં શ્રેષ્ઠ કામગીરી કરનાર કર્મીઓનું સન્માન કરાયું.

ProudOfGujarat

નેત્રંગમાં દિલ્હીથી પરત ફરેલા યુવકને ઘરના સભ્યો સાથે કોરોન્ટાઇન કરાયા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!